લોકસભા કાઉન ડાઉન: કચ્છ-મોરબી બેઠક માટે કમલેશભાઈ મીરાણી-ભાવનગર બેઠક માટે બ્રિજેશભાઈ મેરજા પ્રભારી
મોરબીના ઉદ્યોગપતિએ લીધેલ કોરોનાની સારવારનો વીમો વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા આદેશ
SHARE
મોરબીના ઉદ્યોગપતિએ લીધેલ કોરોનાની સારવારનો વીમો વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા આદેશ
મોરબીના ઉધોગપતિએ કેર હેલ્થ ઇન્સ્યુરનસ કું. માં મેડીકલ વીમો લીધેલ હતો અને તેઓને તા.૭/૯/૨૦૨૦ નાં રોજ કોરોનામાં તબીયત લથડતાં અમદાવાદ એપોલો હોસ્પીટલમાં સારવાર લીધેલ હતી તેનો ખર્ચ પાંચ લાખ આવતાં વીમા કંપનીએ ઉંચા હાથ કરી નાખ્યા હતા જેથી કરીને તેનો કેઇસ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્રારા ગ્રાહક અદાલતમાં દાખલ કરવામાં આવ્યો હતો જેમાં ગ્રાહક અદાલતે વીમા કંપનીને પાંચ લાખ રૂપિયા તા.૨૦/૦૪/૨૦૨૩ થી ૯ ટકાના વ્યાજ સાથે અને દશ હજાર ખર્ચ પેટેનો હુકમ કરેલ છે. અત્રે ઉલેખનીય છે કે, કોરોના હોઈ કે અકસ્માત વીમા કંપનીને વીમો ચુકવવો ગમતો નથી
મોરબીના ઉધોગ પતિ સવજીભાઈ ત્રિભોવનભાઈ કાલરીયાએ કેર હેલ્થ ઇન્સ્યુરન્સ કૂ. માં પાંચ લાખનો વીમો લીધેલ હતો પ્રથમ મોરબી કોરનાની સારવાર લીધી પછી તબીયત લથડતાં અમદાવાદ એપોલો હોસ્પીટલમાં દાખલ કરેલ હતા ત્યાં પાંચ લાખનુ બીલ આપેલ હોસ્પિયલમાં થયું હતું અને તેનો વીમા પણ પાંચ લાખનો હતો જો કે વીમા કંપનીએ એવા જવાબ રજુ કર્યો હતો કે, રાજકોટ કોપોરેશનની હદમાં આવતી હોસ્પીટલ કરતાં અમદાવાદનુ ભાડુ વધારે છે અને અમુક કાગળો માંગેલ ગ્રાહકે કાગળ આપેલ છતાં સાચા ખોટા બાના બતાવી વીમો નામંજુર કરેલ જેથી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમાં કેઇસ કરતાં વીમા કંપનીને તા. ૨૦/૦૪/૨૦૨૩ થી પાંચ લાખનુ ૯ ટકા વ્યાજ સાથે અને ખર્ચના દશ હજાર ચુકવવાનો આદેશ કરેલ છે.