મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના યુવક-યુવતીઓમાં અયોધ્યાની ઐતિહાસિક ઘડીને યાદગાર બનાવવા રામ નામ-છબીના ટેટૂનો ક્રેઝ


SHARE







મોરબીના યુવક-યુવતીઓમાં અયોધ્યાની ઐતિહાસિક ઘડીને યાદગાર બનાવવા રામ નામ-છબીના ટેટૂનો ક્રેઝ

અયોધ્યામાં રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મોરબીના યુવક અને યુવતીઓ સહિતનાઓમાં ખાસ ટેટૂનો ક્રેઝ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને યુવાનો રામ નામ, રામની છબી અને હનુમાનનું નામ તેમજ હનુમાનનું ટેટૂ બનાવવા માટે આવે છે જે ટેટૂ હાલમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે

 સનાતન હિન્દુઓનું વર્ષો જૂનું સપનું સાકર થવા જઇ રહ્યું છે અને અયોધ્યામાં રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ ઐતિહાસિક ઘડી કાયમી યાદગાર બની રહે તેના માટે લોકો અવનવા આયોજન કરી રહ્યા છે ત્યારે ન માત્ર યુવક અને યુવતીઓ પરંતુ બાળકો સહિતનાઓ હાલમાં પોતાના શરીર ઉપર રામ નામ, રામની છબી, હનુમાન નામ અને હનુમાનની છબી વિગેરેના ટેટૂઓ બનાવવા માટે આવી રહ્યા છે અને હાલમાં રામને લગતા ટેટુ બનાવવાનો ક્રેઝ ખૂબ જ વધી રહ્યો છે

રામમય વાતાવરણ ચોમેર જોવા મળી રહ્યું છે ત્યારે મોરબી સહિત સમગ્ર દેશમાં લોકો પોતાનાથી આપી શકાય તે પ્રકારનું યોગદાન આપી રહ્યા છે ત્યારે મોરબીના છાત્રાલય રોડ ઉપર દુકાન ધરાવતા ટેટૂ આર્ટિસ્ટ અમિતભાઈ બજાણિયા દ્વારા આગામી ૨૨ મી તારીખ સુધીમાં જે કોઈ લોકોને અયોધ્યાની ઐતિહાસિક ડી કાયમી યાદગાર બની રહે તેના માટે પોતાન શરીર ઉપર ટેટૂ બનાવવું હોય તો તેને વિના મૂલ્યે ટેટૂ બનાવી આપવામાં આવે છે જેથી કરીને ઘણા યુવક, યુવતીઓ અને બાળકો સહિતના ટેટૂ બનાવવા માટે આવે છે તેને ટેટૂ આર્ટિસ્ટ દ્વારા રામ નામ, રામની છબી, હનુમાન નામ અને હનુમાનની છબી વિગેરેના ટેટૂઓ બનાવી આપવામાં આવે છે

ખાસ કરીને મોરબી શહેરના કોલેજીયન યુવક-યુવતીઓમાં અયોધ્યાની ઐતિહાસિક ડીને ખૂબ આકર્ષણ જોવા મળી રહ્યું છે અને લોકોમાં આગામી ૨૨ મી તારીખે છવાઇ જવા માટે યુવાનો સહિતનાઓમાં ઘેલું લાગ્યું હોય તે રીતે લોકો પોતાના શરીરે રામ ના ટેટૂ બનાવી રહ્યા છે અને દિવસેને દિવસે ટેટુનો ક્રેઝ વધી રહ્યો છે






Latest News