મોરબીના ઘુંટુ ગામની સહકારી મંડળીના પ્રમુખને દિલ્હી પ્રજાસત્તાક પર્વનું ઉજવણીમાં આવવા મળ્યું આમંત્રણ
મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે સફાઈ કરાઈ: ઇન્ડિયન લાયોનેસ ક્લબ મહાઆરતીનું આયોજન
SHARE
મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે સફાઈ કરાઈ: ઇન્ડિયન લાયોનેસ ક્લબ મહાઆરતીનું આયોજન
હાલમાં દેશભરમાં દેવા સ્થાનોની સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના રફાળેશ્વર ગામે આવેલ મહાદેવ મંદિરે સ્થાનિક લોકો દ્વારા સાફ સફાઈ કરવામાં આવી હતી ત્યારે ગામના આગેવાનો સહિતના લોકો ત્યાં હાજર રહ્યા હતા
મોરબી જીલ્લામાં પણ મંદિરોની આસપાસ સ્વચ્છતા રાખવાની ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે અને જુદાજુદા વિસ્તારમાં ધાર્મિક સ્થાનોએ સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે મોરબી વાંકાનેર રોડ ઉપર આવેલ રફાળેશ્વર મહાદેવ મંદિરની સફાઈ કરીને મંદિરને સાફ કરવામાં આવ્યું હતું ત્યારે મહાદેવ યુવા ગ્રુપના શિવુભા ગુઢડા, મયુરભા ગુઢડા, બાલભા ગુઢડા, પુષ્પરાજસિંહ ગોહેલ, નરેશભાઈ ગોહેલ, ભાવેશભાઈ ગમારા, હિતેશભાઈ રાઠોડ, મુકેશભાઈ જાની (ભુદેવ), કાનાભાઈ આચાર્ય, હંસરાજભાઈ મકવાણા, કાવ્યા ભારથી અને લાલભા સહિતના ત્યાં હાજર રહ્યા હતા અને સફાઈ કામ કર્યું હતું
ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા મહાઆરતી
ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા તા ૨૧ ના રોજ અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ અંતર્ગત દરબારગઢમાં આવેલા રામ મંદિર પાસે ચોકમાં દીપમાળા, મહાઆરતી, રામ ધુન અને રામના ૧૦૮ મણકાના જાપ સાંજે ૫ થી ૭ સુધી યોજાશે ત્યારે મોરબીની ધર્મ પ્રેમી પ્રજાને આ મહા આરતીમાં અને રામધુનમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવેલ