હળવદના કીડી ગામે ચોકડીએ આવવા બાબતે બોલાચાલી બાદ મારમારી: સામસામી ફરિયાદ
મોરબીથી અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જઈ રહેલા ૧૯૯૨ ના કારસેવક ડો. જયંતીભાઈ ભાડેશિયાનું સન્માન
SHARE
મોરબીથી અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જઈ રહેલા ૧૯૯૨ ના કારસેવક ડો. જયંતીભાઈ ભાડેશિયાનું સન્માન
અયોધ્યા ખાતે તા ૨૨ ના રોજ રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશના જુદાજુદા વિસ્તારમાંથી જુદાજૂદા ક્ષેત્રની સાથે જોડાયેલા લોકોને આમંત્રણ આપીને બોલાવવામાં આવ્યા છે ત્યારે મોરબીમાં રહેલા મૂળ વાંકાનેરના રહેવાસી અને હાલમાં આરએસએસમાં પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલકની જવાબદારી સાંભળતા ડો. જયંતિભાઈ ભાડેશિયાને પણ તેઓના પત્ની સાથે ત્યાં હાજર રહેવા માટેની આમંત્રણ આપવામાં આવ્યું છે જેથી કરીને ગઇકાલે મોરબીના શનાળા રોડે આવેલ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કાર્યાલય ખાતે તેના સન્માનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરએસએસ અને ભાજપના આગેવાનો તેમજ કાર સેવકો, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહિતના હાજર રહ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, ૧૯૯૨ માં જે કાર સેવકો મોરબી અને વાંકાનેરમાંથી અયોધ્યા ગયા હતા તેમાં ડો. જયંતિભાઈ ભાડેશિયા પણ જોડાયા હતા