મોરબીના ખરેડા ગામે અંબાજી પ્રાગટ્ય દિન ઉજવાશે
SHARE
મોરબીના ખરેડા ગામે અંબાજી પ્રાગટ્ય દિન ઉજવાશે
મોરબી તાલુકાનાં ખરેડા ગામે આગામી તા. ૨૫ ને ગુરુવારે અંબાજી માતાજીનો પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવશે ત્યારે મંદિરે માતાજીનું પૂજન-અર્ચન, રાસ-ગરબા આરતી સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે
મોરબીના ખરેડા ગામે આગામી તા ૨૫ ના રોજ વિવિધ કાર્યક્રમોમાં સવારે ૭:૦૦ કલાકે મંગળા આરતી, ૯:૩૦ કલાકે માતાજીનું પૂજન, ૧૦:૦૦ કલાકે ધજાજીનું સામૈયું, ૧૦:૩૦ કલાકે ધ્વજારોહણ, ૧૧ થી ૧૨ રાસ ગરબા, ૧૨:૩૦ કેક કટીંગ, ૧:૦૦ વાગ્યે પ્રાસંગિક પ્રવચન, ૧:૧૫ વાગ્યે અન્નકૂટ દર્શન તથા આરતી તેમજ ૧:૩૦ કલાકે સમૂહ પ્રસાદ યોજાશે.