વઘાસિયા પાસે બોગસ ટોલનાકાના ગુનામાં પકડાયેલા ત્રણ આરોપીના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે
મોરબી બાર એસો. દ્વારા વડોદરાની દુર્ઘટનાના દિવંગતો માટે પ્રાર્થના સભા યોજાઇ: નવી બોડીને આવકારનો કાર્યક્રમ રદ
SHARE
મોરબી બાર એસો. દ્વારા વડોદરાની દુર્ઘટનાના દિવંગતો માટે પ્રાર્થના સભા યોજાઇ: નવી બોડીને આવકારનો કાર્યક્રમ રદ
વડોદરાની હરણી તળાવની ગંભીર દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોના આત્માને શાંતિ માટે મોરબી બાર એસોસીએશનના તમામ વકીલો દ્વારા બાર રૂમમાં પ્રાર્થના સભા રાખવામા આવી હતી અને નવી બોડીને આવકાર અને જૂની બોડીને વિદાય માટે જે કાર્યક્રમ રાખવામા આવ્યો હતો તેને રદ કરવામાં આવેલ છે
વડોદરાની હરણી તળાવની ગંભીર દુર્ઘટનાથી મોરબી બાર એસોસીએશનના તમામ વકીલો દુઃખની લાગણી અનુભવી રહ્યા છે અને તમામ વકીલઓએ ઘેરા દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરેલ છે અને આ દુર્ઘટનામાં અવશાન પામેલ આત્માઓને ભગવાન શાંતી અર્પે તેના માટે શાંતિ પ્રાર્થના સભા તા ૧૯ ના રોજ મોરબી બાર રૂમમાં રાખેલ હતી અને તા.૨૦ રોજ આગામી વર્ષ ૨૦૨૪ માટે નવા ચુંટાયેલા હોદેદારો માટે અભીવાદન તેમજ પુર્વ હોદેદારોની વિદાય પ્રસંગ અનુરૂ૫ સ્નેહમીલનનું તેમજ સ્વરૂચિ ભોજનનું આયોજન કરેલ હતુ જે પણ તાત્કાલીક અસરથી રદ કરેલ છે. તેમજ વડોદરાની હરણી તળાવની દુર્ઘટનામાં આરોપીઓને ઝડપથી પકડીને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી મોરબી બાર એસોસીએશનના તમામ વકીલઓએ વ્યક્ત કરી હતી તેવું પ્રમુખ દિલીપભાઈ આર.અગેચણીયા અને સેક્રેટરી વિજયકુમાર વી. શેરશિયાએ જણાવ્યુ છે