મોરબી: દફ્તરી કુટુંબના કુળદેવી શ્રી જખરી માઁ ના નવનિર્મિત મંદિર-યજ્ઞ શાળાનું ઉદ્ઘાટન
SHARE
મોરબી: દફ્તરી કુટુંબના કુળદેવી શ્રી જખરી માઁ ના નવનિર્મિત મંદિર-યજ્ઞ શાળાનું ઉદ્ઘાટન
ભારતના દફ્તરી પરિવારના કુટુંબીજનો આગામી તા. ૨૬ ના રંગપર બેલા મુકામે એકત્રિત થશે. રંગપર મુકામે દફ્તરી અને મહેતા કુટુંબના કુળદેવી શ્રી જખરીમાંનું ભવ્ય મંદિર, પ્રાર્થના ખંડ, યજ્ઞ શાળા, રંગમંડપ, ભોજનાલય,ગેમરીયો કૂવો સુશોભન,અવેડો, અને ચબુતરાનું ઉદ્ઘાટન આગામી તા. ૨૬ ના નવચંડી હવન દ્વારા સંપન્ન થશે. આ તકે ઉદ્ઘાટન સમયે ભારતભરમાં વસતા દફ્તરી કુટુંબના પરિવારો મુંબઈ, કલકતા, હૈદરાબાદ, પુના, અમદાવાદ, રાજકોટ, મોરબી ઉપરાંત અમેરિકા, કેનેડા, ઘાના, લંડનમાં વસતા કુટુંબના સભ્યો આવી રહ્યા છે એક વર્ષમાં મંદિર સાથે સમગ્ર સુવિધા તૈયાર કરવા માટે તુષાર દફ્તરી, કેતનભાઈ દફતરી, સંદીપભાઈ દફ્તરી, ચંદ્રકાન્તભાઈ દફતરીએ પરિશ્રમ કરી અને ભવ્ય ઇમારત બનાવી છે. આ સમગ્ર સંકુલના મુખ્ય દાતા કામલેશભાઈ જયસુખભાઇ દફ્તરી મુંબઈ તથા અન્ય દાતાઓનો સહકાર મળેલ છે.