મોરબી: દફ્તરી કુટુંબના કુળદેવી શ્રી જખરી માઁ ના નવનિર્મિત મંદિર-યજ્ઞ શાળાનું ઉદ્ઘાટન
મોરબી નજીકના ગાળા પાસે અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું રાજકોટ ખાતે સારવારમાં મોત
SHARE
મોરબી નજીકના ગાળા પાસે અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું રાજકોટ ખાતે સારવારમાં મોત
મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ગાળા ગામના પાટીયા પાસેથી બાઈક લઈને પસાર થયેલા યુવાનના બાઈકને આઇસર ચાલકે હડફેટે લીધું હતું જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઈ ગયા હતા જો કે ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું છે જેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવી છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં સર્કિટ હાઉસની સામે આવેલા વિદ્યુતનગર સોસાયટીમાં રહેતા સંદીપભાઈ જેસંગભાઈ રાઠોડ (૩૩)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને આઇસર નંબર જીજે ૩૬ ટી ૯૫૧૦ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, મોરબીના વિદ્યુતનગર વિસ્તારમાં રહેતા તેઓના કાકા ભાનુભાઈ જસાભાઇ રાઠોડ (૪૫) પોતાનું બાઈક નંબર જીજે ૩૬ એજી ૩૧૨૨ લઈને જઈ રહ્યા હતા ત્યારે તેના બાઈકને આઇસરના ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને ફરિયાદીના કાકાને ડાબા પગ, ડાબા હાથ, માથા તથા મોઢાના ભાગે સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર દરમ્યાન ભાનુભાઈ જસાભાઇ રાઠોડનું મોત નીપજયું છે હાલમાં આ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે અને અગાઉ ઈજાગ્રસ્ત યુવાનના ભત્રીજાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અકસ્માત સર્જીને નાસી છૂટેલા આઇસર ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે