મોરબીના વાઘપરામાંથી દારૂની ૧૧ બોટલ સાથે નીકળેલા બે શખ્સ પકડાયા
સાવધાન: મોરબી જીલ્લામાં સોશિયલ મીડિયા ઉપર પોલીસની બાજ નજર, ધાર્મિક લાગણી દુભાઈ તેવી પોસ્ટ મૂકનારની ખેર નથી
SHARE
સાવધાન: મોરબી જીલ્લામાં સોશિયલ મીડિયા ઉપર પોલીસની બાજ નજર, ધાર્મિક લાગણી દુભાઈ તેવી પોસ્ટ મૂકનારની ખેર નથી
આવતીકાલે તા ૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામની જન્મભુમી ખાતે પ્રાણ પતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે કોઇપણ સમાજની ધાર્મીક લાગણી દુભાય તેવી ઉશ્કેરણીજનક પોસ્ટ, વીડીયો કે અફવા સોશિયલ મીડીયામાં મુકવા કે ફોરવર્ડ ન કરવા મોરબી જીલ્લા પોલીસે સૂચના જાહેર કરી છે. અને હાલમાં મોરબી જિલ્લાના સોશિઅલ મીડિયા ઉપર પોલીસની ટીમો બાજ નજર રાખી રહી છે
હાલમાં મોરબી જિલ્લા પોલીસે જે સૂચના આપલે છે તેમાં જણાવાયું છે કે કોઇપણ સમાજની ધાર્મીક લાગણી દુભાય તેવી ઉશ્કેરણીજનક પોસ્ટ, વીડીયો કે અફવા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટવીટર, વોટસએપ જેવા સોશિયલ મીડીયા પ્લેટફોર્મ પર મૂકવી નહીં અને હાલમાં પોલીસની અલગ અલગ ટીમો બનાવી આવી પ્રવૃતિ કરતા ઇસમો ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે. જો કોઇ વ્યકિત આવી ગેરકાયદે પ્રવૃતિ કરતા કે પ્રોત્સાહન આપતા જણાઇ આવશે. તો તેઓની વિરૂધ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે