મોરબીમાં એસપી રોડે કાલે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીના ભાગરૂપે શોભાયાત્રાનું આયોજન
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત મોરબીના નીલકંઠ મહાદેવ મંદિરે અમૃત યજ્ઞ યોજાયો
SHARE
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત મોરબીના નીલકંઠ મહાદેવ મંદિરે અમૃત યજ્ઞ યોજાયો
મોરબીમાં સ્વયંભૂ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે મહંત પરિવાર દ્વારા અયોધ્યામાં રામ મંદિર ખાતે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે તે અંતર્ગત વિશ્વ શાંતિ અને આરોગ્ય માટે હાલમાં જે નવરાત્રી ચાલે તેને ધ્યાને રાખીને સર્વ સમાજને સાથે રાખી અમૃત યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૧૦૦ શ્રીફળ હોમી અને આ યજ્ઞ કરવામાં આવેલ હતો આ યજ્ઞમાં મુખ્ય યજમાન વર્તમાન મહંત અને મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ મહંત ગુલાબગીરી તથા લઘુમહંત નિલેશગીરી તથા કોઠારી અક્ષયગીરી મંદિરના વ્યવસ્થાપક ધીમલગીરી યજ્ઞમાં અન્ય સમાજના આગેવાનઓ જેમાં એડવોકેટ કમલેશગીરી, એડવોકેટ જગદીશભાઈ સરવૈયા, તેજસભાઈ સોલંકી, હર્ષદભાઈ ઝાલા, ચમનલાલ કુંડારીયા, અશોકભાઈ કડીવાર, જીલાભાઇ, પ્રેમજીભાઈ ત્રિભોવનભાઈ, અમિતભાઈ ગણાત્ર, ભીખુભાઈ સિંધી, મુકેશભાઈ શર્મા, વિનુભાઈ સોલંકી, નવનીતભાઈ કારીયા, ભાવેશભાઈ, નવીનચંદ્ર પંડ્યા, હિતેશભાઇ શુકલ સહિતના હાજર રહ્યા હતા અને આ યજ્ઞના આચાર્ય પદે વિદ્વાન વિપુલભાઈ નટુભાઈ ભૂદેવ બિરાજેલ અને સર્વ સમાજના લોકોના હસ્તે શ્રીફળની આહુતિ આપી હતી