મોરબી સહિત ગુજરાતના પ્રાથમિક શિક્ષકોને શિક્ષણ સિવાય અનેકવિધ કામગીરીઓનું ભારણ વધી જતાં મુંઝવણ અને મુશ્કેલીમાં વધારો મોરબીમાં જેહાદી માનસિકતાના પુતળા દહન કરીને હિંદુ સંગઠનોએ આવેદનપત્ર પાઠવ્યું આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત મોરબીના નવા સાદુળકા ગામેથી ગુમ થયેલ યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં એસપી રોડે કાલે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીના ભાગરૂપે શોભાયાત્રાનું આયોજન


SHARE













મોરબીમાં એસપી રોડે કાલે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીના ભાગરૂપે શોભાયાત્રાનું આયોજન

મોરબી જીલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં કાલે  દિવાળી જેવો માહોલ હશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે મોરબીમાં આવેલા એસપી રોડ ઉપર રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીના ભાગરૂપે ત્યાં આવેલા એપાર્ટમેંટમાં રહેતા પરિવારો દ્વારા ભવ્ય શોભાયાત્રા અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે

કાલે અયોધ્યા ખાતે રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે જેની દેશભરમાં ઉજવણી થવાની છે ત્યારે મોરબીના રવાપર ગામે આવેલ એસપી રોડ ઉપર છેલ્લા વર્ષોમાં અકે બે નહીં પરંતુ ૭૦ થી વધી એપાર્ટમેંટ બનાવવામાં આવેલ છે તે મકાનોમાં રહેતા પરિવારો દ્વારા આ ઉજવણીને યાદગાર બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને કાલે તા ૨૨ ના રોજ સવારે ૮:૦૦ વાગ્યે લીલાપર કેનાલ રોડના ખૂણા પાસેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભગવા વસ્ત્રો સાથે અંદાજે પાંચ હજાર જેટલા લોકો જોડાશે અને આ શોભાયાત્રા એસપી રોડની તમામ સોસાયટીઓમાં ફરશે. જેમાં રામ, સિતા, લક્ષ્મણ, વાનરસેના, સબરી સહિતના પાત્રો તૈયાર કરવામાં આવેલ છે અને ઘોડાગાડી સહીતના આકર્ષણો પણ રાખવામા આવેલ છે અને છેલ્લે મહાઆરતી તેમજ મહાપ્રસાદ સ્થાનિક લોકો માટે જ રાખવામા આવેલ છે અને સાંજે એલ બાઇક રેલી મોરબીના એસપી રોડથી મહારાણા પ્રતાપ સર્કલ સુધીની રાખવામા આવી છે ત્યારે આતિસબાજી પણ કરવામાં આવશે

નાસ્તગલી વેપારી મંડળ

મોરબીના નાગર દરવાજાની બાજુમાં આવેલ નાસ્તાગલીના વેપારીઓ દ્વારા અયોધ્યા ખાતે રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે તેને ધ્યાનમાં રાખીને કાલે બપોરે સમૂહ પ્રસાદનું આયોજન કર્યું છે જેમાં નાસ્તાગલીમાં દુકાન ધરાવતા વેપારીઓ અને તેના પરિવારના લોકો માટે બપોરે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને આ આયોજનમાં નાસ્તાગલીના તમામ વેપારીઓનો સહયોગ મળેલ છે






Latest News