મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી પત્રકાર એસો. દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિશ્વ શાંતિ સરસ્વતી યજ્ઞ યોજાયો


SHARE







મોરબી પત્રકાર એસો. દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિશ્વ શાંતિ સરસ્વતી યજ્ઞ યોજાયો

અયોધ્યામાં રામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે ઠેર ઠેર ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે અને આ સમગ્ર ઉત્સવને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને વિશ્વ ભરમાં કાયમી શાંતિ સ્થાપિત થાય તે હેતુથી મોરબીમાં પણ પત્રકાર એસો. દ્વારા મોરબીના ઐતિહાસિક શ્રી રામ મહેલ મંદિર ખાતે વિશ્વ શાંતિ સરસ્વતી મહા યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબીમાં ઐતિહાસિક શ્રી રામ મહેલ મંદિર ખાતે આજે મોરબી પત્રકાર એસો. દ્વારા વિશ્વ શાંતિ સરસ્વતી યજ્ઞનું આયોજન કરાયું હતું અને આ યજ્ઞમાં મોરબી પત્રકાર એસો.ના પ્રમુખ સહિતના તમામ હોદેદારો અને સભ્યો સાથે મોરબીના કલેક્ટર જી. ટી.પંડ્યા, મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરિયા તેમજ પૂર્વ મંત્રી બ્રીજેશભાઈ મેરજા તેમજ રાજકીય અગ્રણીઓ મોરબી સિરામિક એસો.ના પ્રમુખ હરેશભાઈ બોપાલિયા અને વિનોદભાઈ ભાડજા, પુર્વ પ્રમુખ નિલેશભાઈ જેતપરીયા તેમજ બિલ્ડર એસો. પ્રમુખ સંતોષભાઈ શેરસિયા તેમજ સંતો-મહંતો, રાજકીય અને સામાજિક આગેવાનો અને અધિકારીઓએ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા અને યજ્ઞ બાદ રામ મદિરે આરતી કરીને અયોધ્યામાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય અને સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય તેવી પ્રાર્થના કરી હતી આ તકે મોરબી પત્રકાર એસો.ના પ્રમુખ સુરેશભાઈ ગોસ્વામી, ઉપપ્રમુખ રવીભાઈ ભડાણીયા, મહામંત્રી ભાસ્કરભાઈ જોશી, સહમંત્રી આર્યનભાઈ સોલંકી, ખજાનચી પંકજભાઈ સનારિયા, અતુલભાઈ જોશી, ઋષિભાઈ મહેતા, સંદીપ વ્યાસ, અલ્પેશભાઈ ગોસ્વામી, પ્રવીણભાઈ વ્યાસ, જીગ્નેશભાઈ ભટ્ટ, હિમાંશુભાઈ ભટ્ટ, હરનિશભાઈ જોશી, મહેન્દ્રસિંહ જાડેજા અને ધર્મેન્દ્ર વ્યાસ સહિતના હાજર રહ્યા હતા

રામપર નવા નાગડાવાસ ખાતે અનેરું આયોજન

મોરબી,સમગ્ર દેશ-દુનિયાની સાથે સાથે મોરબી પંથકમાં અયોધ્યા ખાતે ભગવાન રામ લલ્લાની પધરામણીની ઉજવણી ચરમસીમાએ છે, ગામેગામ સોસાયટી સોસાયટીએ સમૂહભોજન, ધૂન ભજન કિર્તન જેવા કાર્યક્રમોનું આયોજન થયેલ છે ત્યારે મોરબીના રામપર (નવા નાગડાવાસ) ગામે ભગવાન રામલલ્લાની વધામણી કરવા માટે ખાનડીયાં ઠાકર યુવા ગ્રુપ દ્વારા ભવ્ય ઉજવણીની તૈયારી શરૂ કરવામાં આવી છે. તા.૨૧ નાં રોજ રાત્રે રામધૂન, તા.૨૨ નાં રોજ સવારે ભવ્ય કળશયાત્રા, દાંડિયારાસ, તેમજ ભવ્ય આરતીનુ હરખભેર આયોજન કરવામાં આવ્યું છે. અને બપોરે મહાઆરતી બાદ આખા ગામના મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે 






Latest News