મોરબીમાં કામ ધંધો ચાલતો ન હોય પૈસાના ટેન્શનમાં ઘરેથી ચાલ્યો ગયેલ યુવાન મળી આવ્યો, માનસિક અસ્થિર યુવાનની પણ ભાળ મળી મોરબીના પેપર મિલ ઉદ્યોગ ઉપર 36 કરોડનું ભારણ વધ્યું, 45 હજાર ટન ઉત્પાદન ઘટ્યું: પ્રમુખ મોરબીમાં સ્વ. શાંતાબેન બરાસરાના સ્મરણાર્થે 17 એપ્રિલે મહા રક્તદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય રેલી યોજાઇ મોરબી મહાપાલિકાની ચૂંટણી: 8 દિવસમાં અંદાજે 10 કિલો મીટર વિસ્તારમાં પ્રચાર કરીને મત માટે ઉમેદવારે સરેરાશ 17 હજારથી વધુ મતદારોનો કરવાનો જનસંપર્ક ! મોરબીમાં બાળ કિશોર દારૂ ભરેલ કાર લઈને નીકળ્યો !: 5.15 લાખનો મુદામાલ કબ્જે: મહિલા સહિત 3 ની શોધખોળ વાંકાનેરમાં છકડો રિક્ષાના ચાલકે બાઇકને હડફેટે લેતા દંપતીને ગંભીર ઇજા મોરબી નજીક રિક્ષામાંથી પડી જતાં ઇજા પામેલ મહિલાના મોત મામલે રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં સોમવારે તમામ કેસ જે તે સ્ટેજમાં રાખવા બાર એસો.એ કર્યો ઠરાવ


SHARE













મોરબીની કોર્ટમાં સોમવારે તમામ કેસ જે તે સ્ટેજમાં રાખવા બાર એસો.એ કર્યો ઠરાવ

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કચેરીઓમાં અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે શાળા અને કોલેજોમાં રાજા જાહેર કરવામાં આવી છે ત્યારે મોરબી બાર એસો. દ્વારા સોમવારે વકીલો અને પક્ષકારો કોર્ટમાં હાજર ન રહી સકે તો કેસને નુકશાન ન થાય તેવા હેતુથી જે તે સ્ટેજ ઉપર જ કેસને રાખવા ઠરાવ કરવામાં આવેલ છે અને તે ઠરાવ મોરબીના પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સાહેબને પણ મોકલાવવામાં આવેલ છે

મોરબી બાર એસો.ના સેક્રેટરીએ તેની યાદીમાં જણાવ્યુ છે કે, તા. ૨૨ ના રોજ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે ત્યારે દેશભરમાં અનેક સ્થળોએ ધાર્મિક કાર્યક્રમમાં લોકો રોકાયેલ છે અને કોઈપણ કારણોસર વકીલો તેમજ પક્ષકારો કોર્ટમાં હાજર રહી સકે તેમ ન હોય જેથી વકીલો અને પક્ષકારો કેસમાં તેઓની ગેરહાજરીને કારણે કેસને નુકશાન ના થાય તે માટે જે તે સ્ટેજ પર રાખવા અને કોઈપણ કામમાં સ્ટેજ બંધ ન કરવા વિનંતી કરવામાં આવી છે અને આ અંગેનો ઠરાવ બાર એસો. દ્વારા કરીને તે ઠરાવ મોરબીના પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સાહેબને મોકલી આપવામાં આવેલ છે અને યોગ્ય કરવા વિનંતી કરવામાં આવી છે






Latest News