મોરબીની કોર્ટમાં સોમવારે તમામ કેસ જે તે સ્ટેજમાં રાખવા બાર એસો.એ કર્યો ઠરાવ
SHARE
મોરબીની કોર્ટમાં સોમવારે તમામ કેસ જે તે સ્ટેજમાં રાખવા બાર એસો.એ કર્યો ઠરાવ
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કચેરીઓમાં અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે શાળા અને કોલેજોમાં રાજા જાહેર કરવામાં આવી છે ત્યારે મોરબી બાર એસો. દ્વારા સોમવારે વકીલો અને પક્ષકારો કોર્ટમાં હાજર ન રહી સકે તો કેસને નુકશાન ન થાય તેવા હેતુથી જે તે સ્ટેજ ઉપર જ કેસને રાખવા ઠરાવ કરવામાં આવેલ છે અને તે ઠરાવ મોરબીના પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સાહેબને પણ મોકલાવવામાં આવેલ છે
મોરબી બાર એસો.ના સેક્રેટરીએ તેની યાદીમાં જણાવ્યુ છે કે, તા. ૨૨ ના રોજ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે ત્યારે દેશભરમાં અનેક સ્થળોએ ધાર્મિક કાર્યક્રમમાં લોકો રોકાયેલ છે અને કોઈપણ કારણોસર વકીલો તેમજ પક્ષકારો કોર્ટમાં હાજર રહી સકે તેમ ન હોય જેથી વકીલો અને પક્ષકારો કેસમાં તેઓની ગેરહાજરીને કારણે કેસને નુકશાન ના થાય તે માટે જે તે સ્ટેજ પર રાખવા અને કોઈપણ કામમાં સ્ટેજ બંધ ન કરવા વિનંતી કરવામાં આવી છે અને આ અંગેનો ઠરાવ બાર એસો. દ્વારા કરીને તે ઠરાવ મોરબીના પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સાહેબને મોકલી આપવામાં આવેલ છે અને યોગ્ય કરવા વિનંતી કરવામાં આવી છે