મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે ધારાસભ્યની હાજરીમાં કારસેવકોનું સન્માન કરાયું


SHARE













મોરબીના પરશુરામ ધામ ખાતે ધારાસભ્યની હાજરીમાં કારસેવકોનું સન્માન કરાયું

ગઇકાલે સમગ્ર દેશ રામમય બની ગયો હતો અને ઠેર-ઠેર તોરણ લગાવીને, રંગોળી કરીને, ફટાકડા ફોડીને રામલ્લાનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીના પરશુરામ ધામ ખાતે ધારાસભ્યની હાજરીમાં ૧૯૯૨ માં કાર સેવા કરવા ગયેલા કારસેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ અયોધ્યામાં કાર સેવા કરવા માટે મોરબીમાંથી ગયા હોય અને પ્રાણની આહુતિ આપી હોય તેવા કોઈ કારસેવક હોય તો તેના પરિવારને પરશુરામ ધામ મંદિર તરફથી એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવેલ છે

ગઇકાલે અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો ત્યારે દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી અને તેવામાં મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે સાંજે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું અને મહા આરતીમાં ૫૦૦ થી વધુ લોકો જોડાયા હતા તેમજ ૭૮૦૦ દિવડાથી આખા મંદિરને શણગારવામાં આવ્યું હતું ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ડો. અનિલભાઈ મહેતા, ભૂપતભાઇ પંડ્યા, હસુભાઈ પંડ્યા, ડો. બી.કે. લહેરૂ, નલિનભાઈ ભટ્ટ, જગદીશભાઇ ઓઝા, નીરાજભાઈ ભટ્ટ, હંસાબેન ઠાકર, નરેન્દ્રભાઈ ઠાકર, ચિંતનભાઈ ભટ્ટ ધ્યાનેશભાઈ રાવલ, મનોજભાઇ પંડ્યા સહિતના બ્રહ્મ સમાજના આગેવાનો હાજર રહ્યા અને ધારાસભ્ય સહિતના આગેવાનોના હસ્તે વર્ષ ૧૯૯૨ માં અયોધ્યા ખાતે કાર સેવા કરવા માટે મોરબીમાંથી ગયેલા ૪૦ થી વધુ કાર સેવકોનું પરશુરામ ધામ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું અને વધુમાં પરશુરામ ધામના ટ્રસ્ટી ભૂપતભાઇ પંડ્યાએ જણાવ્યુ હતું કે, અયોધ્યા ખાતે અગાઉ કાર સેવા કરવા માટે મોરબીથી ગયા હોય અને કોઈ પણ કાર સેવકે તેના પ્રાણની ત્યાં આહુતિ આપેલ હોય તો તેના પરિવારને પરશુરામ મંદિર તરફથી એક લાખ રૂપિયા આપવામાં આવશે 






Latest News