મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે ધારાસભ્ય, મહંત અને પત્રકારોના હસ્તે પ્રસાદનું વિતરણ કરાયું: યંગ ઇન્ડિયા ગ્રુપે વૃદ્ધો માટે કર્યું વિશેષ આયોજન


SHARE













મોરબીના જલારામ મંદિરે ધારાસભ્ય, મહંત અને પત્રકારોના હસ્તે પ્રસાદનું વિતરણ કરાયું: યંગ ઇન્ડિયા ગ્રુપે વૃદ્ધો માટે કર્યું વિશેષ આયોજન

ગઇકાલે અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો ત્યારે દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબીના અયોધ્યાપૂરી રોડે આવેલ જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે સવારે ૧૦ કલાકે ધૂન-ભજન૧૧ કલાકે મોરબી રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેનના હસ્તે પ્રસાદ વિતરણ શરૂ કરવામાં આવ્યું હતુ ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ મોરબીના પત્રકારો હિમાંશુભાઈ ભટ્ટ, પ્રવીણભાઈ વ્યાસ અને જિગ્નેશભાઈ ભટ્ટ સહિતના સામાજિક અને રાજકીય આગેવાનોના હસ્તે લોકોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ૫૧૦૦ પેટેક પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ બપોરે ૧૨:૩૫ કલાકે મહાઆરતી કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, ચિરાગભાઈ રાચ્છ, હરીશભાઈ રાજા, અનિલભાઈ સોમૈયા, ભાવીનભાઈ ઘેલાણી, કીશોરભાઈ ઘેલાણી સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે ગઇકાલે ઐતિહાસિક પર્વની વૃદ્ધાશ્રમ સહિતના વૃદ્ધો સાથે ઉજવણી કરી હતી. અને ત્યારે મોટી સંખ્યામાં વૃદ્ધો હાજર રહ્યા હતા અને અયોધ્યા ખાતે ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત પ્રસારણ સ્કાય મોલ મલ્ટીપ્લેક્સ ખાતે નિહાળીને ધન્યતા અનુભવી હતી. અને ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, વૃદ્ધોએ અયોધ્યાના કાર્યક્રમને લાઈવ જોઇને તેઓના ચહેરા ઉપર જે ખુશી જોવા મળી તે જોઈને અમે તમામ ધન્ય બની ગયા છીએ






Latest News