ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે ધારાસભ્ય, મહંત અને પત્રકારોના હસ્તે પ્રસાદનું વિતરણ કરાયું: યંગ ઇન્ડિયા ગ્રુપે વૃદ્ધો માટે કર્યું વિશેષ આયોજન


SHARE







મોરબીના જલારામ મંદિરે ધારાસભ્ય, મહંત અને પત્રકારોના હસ્તે પ્રસાદનું વિતરણ કરાયું: યંગ ઇન્ડિયા ગ્રુપે વૃદ્ધો માટે કર્યું વિશેષ આયોજન

ગઇકાલે અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો ત્યારે દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબીના અયોધ્યાપૂરી રોડે આવેલ જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે સવારે ૧૦ કલાકે ધૂન-ભજન૧૧ કલાકે મોરબી રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેનના હસ્તે પ્રસાદ વિતરણ શરૂ કરવામાં આવ્યું હતુ ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ મોરબીના પત્રકારો હિમાંશુભાઈ ભટ્ટ, પ્રવીણભાઈ વ્યાસ અને જિગ્નેશભાઈ ભટ્ટ સહિતના સામાજિક અને રાજકીય આગેવાનોના હસ્તે લોકોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ૫૧૦૦ પેટેક પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ બપોરે ૧૨:૩૫ કલાકે મહાઆરતી કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, ચિરાગભાઈ રાચ્છ, હરીશભાઈ રાજા, અનિલભાઈ સોમૈયા, ભાવીનભાઈ ઘેલાણી, કીશોરભાઈ ઘેલાણી સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે ગઇકાલે ઐતિહાસિક પર્વની વૃદ્ધાશ્રમ સહિતના વૃદ્ધો સાથે ઉજવણી કરી હતી. અને ત્યારે મોટી સંખ્યામાં વૃદ્ધો હાજર રહ્યા હતા અને અયોધ્યા ખાતે ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત પ્રસારણ સ્કાય મોલ મલ્ટીપ્લેક્સ ખાતે નિહાળીને ધન્યતા અનુભવી હતી. અને ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, વૃદ્ધોએ અયોધ્યાના કાર્યક્રમને લાઈવ જોઇને તેઓના ચહેરા ઉપર જે ખુશી જોવા મળી તે જોઈને અમે તમામ ધન્ય બની ગયા છીએ






Latest News