મોરબી: ખાખરેચી ગામે ૫૫૧ દિવડાની આરતી સાથે ઉજવણી કરાઇ
SHARE
મોરબી: ખાખરેચી ગામે ૫૫૧ દિવડાની આરતી સાથે ઉજવણી કરાઇ
સોમવારે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજાયો હતો તેની સાથે જુદાજુદા ગામ અને વિસ્તારોમાં અનેક કાર્યક્રમ યોજાયા હતા ત્યારે મોરબીના ખાખરેચી ગામે ખાખરેચી મિત્ર મંડળ દ્વારા ૫૫૧ દિવડાની આરતી કરીને બટુક ભોજન, ચકલાને ચણ, ઘાસચારો જેવાં સેવાકીય પ્રવૃતિ કરીને આ પ્રસંગને વધાવવામાં આવ્યો હતો અને તેની સાથોસાથ વડોદરામાં બનેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકો અને શિક્ષકોની આત્માની શાંતિ અર્થે મૌન પાળવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા ખાખરેચી મિત્ર મંડળ ખાદી વસાહત પ્લોટ તથા માં મંડપ સર્વિસ ની ટીમે જહેમત ઉઠાવી હતી