મોરબી જિલ્લાના ૨૨ દિવ્યાંગ બાળકોનાં ઓડીયોગ્રામ રિપોર્ટ તાત્કાલિક કરવી આપતા ડીડીઓ
મોરબીમાં વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન
SHARE
મોરબીમાં વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન
મોરબીમાં વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઠમા સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે
મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વર્ષોથી શિક્ષણ, આરોગ્ય અને સામાજિક સેવાઓ કરી રહેલ વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી અને હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં સાત સમૂહ લગ્નોથી ૨૨૯ દીકરીઓના લગ્નો કરાવ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ સંસ્થાઓ સાથે મળી આઠમા સમૂહ લગ્નનું આયોજન કરેલ છે. આ સમૂહ લગ્નોત્સવ સર્વ જ્ઞાતિની દીકરીઓ માટે છે જેમાં પિતા વગરની દીકરીને પહેલા પ્રધ્યન આપવામાં આવશે.
આ લગ્નોત્સવમાં જોડાવવા માંગતા પરિવારો તા. ૨૪/૧ થી ૧૦/૨ સુધી ફોર્મ પ્રાગટ્ય ક્લિનિક, આંબેડકર કોલોની, રોહીદાસ પરા મેઈન રોડ, મોરબી ખાતે થી સવારે ૧૦ થી ૧ અને સાંજે ૫ થી ૭ મેળવી શકશે આ સમૂહ લગ્નોત્સવ ના સમયે કન્યાની ઉંમર ૧૮ પૂર્ણ અને વરની ઉંમર ૨૧ પૂર્ણ તેમજ પ્રથમ લગ્ન વાળા જ આવેદન કરી શકશે આ લગ્નોત્સવમાં દાન આપવા કે સ્વયંસેવક તરીકે સેવા આપવા માટે ડો.પરેશકુમાર પારિઆ (૮૭૩૨૯૧૮૧૮૩), ડો.હાર્દિક જેસ્વાણી (૯૨૨૮૮૦૦૧૦૮) તેમજ ડો.મિલન ઉઘરેજા (૮૭૫૮૮૩૩૩૮૮)નો સંપર્ક કરવા જણાવ્યુ છે