માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

વાંકાનેરના હત્યાના ગુનામાં સંડોવાયેલ મહિલા આરોપીનો જામીન પર છુટકારો


SHARE













વાંકાનેરના હત્યાના ગુનામાં સંડોવાયેલ મહિલા આરોપીનો જામીન પર છુટકારો

વાંકાનેર સીટી વિસ્તારમાં હત્યાનો બનાવ બનેલ હતો જે ગુનામાં પકડાયેલ મહિલા આરોપીના જામીન માટે વકીલ મારફતે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેમાં વકીલ કરેલ દલીલ આધારે મહિલા આરોપીની જામીન અરજી મંજુર કરવામાં આવી હતી જેથી તેનો જામીન પર છુટકારો થયેલ છે

વાંકાનેર સીટી પોલીસે થોડા સમય પહેલા મહિલા આરોપી અરૂણાબેન મનસુખભાઈ ગોરિયા રહે. જાલી ગામ વાળની હત્યાના ગુનામાં ધરપકડ કરી હતી અને નીચલી કોર્ટમાં રજુ કરીને ચાર્જશીટ કોર્ટમાં રજુ કરવામાં આવ્યું હતું જેથી કરીને જે મહિલા આરોપીએ કોર્ટમાં ચાર્જશીટ બાદ જામીન અરજી વકીલ મારફતે કરી હતી અને તેમાં આરોપી તરફે મોરબીના સીનીયર વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) રોકાયેલ હતા અને આરોપી તરફેના વકીલે કોર્ટમાં સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરીને દલીલ કરી હતી જેને ધ્યાને લઈને બીજા એડી. ડીસ્ટ્રીકટ જજ વી.એ. બુદ્ધ સાહેબે આરોપી અરૂણાબેન ગોરિયાને ૨૫ હજારના શરતી જામીન આપીને રેગ્યુલર જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે જે કેસમાં આરોપી તરફે વકીલ મનીષ પી ઓઝા (ગોપાલભાઈ) તેમજ મેનાઝ એ. પરમાર રોકાયેલ હતા






Latest News