વાંકાનેરના હત્યાના ગુનામાં સંડોવાયેલ મહિલા આરોપીનો જામીન પર છુટકારો
SHARE
વાંકાનેરના હત્યાના ગુનામાં સંડોવાયેલ મહિલા આરોપીનો જામીન પર છુટકારો
વાંકાનેર સીટી વિસ્તારમાં હત્યાનો બનાવ બનેલ હતો જે ગુનામાં પકડાયેલ મહિલા આરોપીના જામીન માટે વકીલ મારફતે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેમાં વકીલ કરેલ દલીલ આધારે મહિલા આરોપીની જામીન અરજી મંજુર કરવામાં આવી હતી જેથી તેનો જામીન પર છુટકારો થયેલ છે
વાંકાનેર સીટી પોલીસે થોડા સમય પહેલા મહિલા આરોપી અરૂણાબેન મનસુખભાઈ ગોરિયા રહે. જાલી ગામ વાળની હત્યાના ગુનામાં ધરપકડ કરી હતી અને નીચલી કોર્ટમાં રજુ કરીને ચાર્જશીટ કોર્ટમાં રજુ કરવામાં આવ્યું હતું જેથી કરીને જે મહિલા આરોપીએ કોર્ટમાં ચાર્જશીટ બાદ જામીન અરજી વકીલ મારફતે કરી હતી અને તેમાં આરોપી તરફે મોરબીના સીનીયર વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) રોકાયેલ હતા અને આરોપી તરફેના વકીલે કોર્ટમાં સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરીને દલીલ કરી હતી જેને ધ્યાને લઈને બીજા એડી. ડીસ્ટ્રીકટ જજ વી.એ. બુદ્ધ સાહેબે આરોપી અરૂણાબેન ગોરિયાને ૨૫ હજારના શરતી જામીન આપીને રેગ્યુલર જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે જે કેસમાં આરોપી તરફે વકીલ મનીષ પી ઓઝા (ગોપાલભાઈ) તેમજ મેનાઝ એ. પરમાર રોકાયેલ હતા