માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીની સબ જેલમાંથી આજીવન કેદના બે આરોપીઓને જેલમુક્ત કરાયા


SHARE













મોરબીની સબ જેલમાંથી આજીવન કેદના બે આરોપીઓને જેલમુક્ત કરાયા

મોરબીની સબ જેલમાં આજીવન કેદની સજા પામેલ બે કેદીઓને સારી વર્તણુક સહિતની બાબતોને ધ્યાને રાખીને જેલ તંત્ર દ્વારા આપેલ રીપોર્ટ આધારે કમિટી દ્વારા જેલમુક્ત કરવાનો નિર્ણય કર્યો હતો અને ગઇકાલે બે આજીવન કેદના આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા હતા

મોરબીની સબ જેલમાં જુદાજુદા ગુનાના આરોપીઓને રાખવામા આવતા હોય છે તેમાં આજીવન કેદની સજા પામેલ જામમામદ આમદ ભટ્ટી (૪૫) તેમજ કુંવરબેન ઘોઘા નગવાડીયા (૬૨)ને પણ રાખવામા આવ્યા હતા અને જેની માહિતી આપતા જેલના અધિકારી જણાવ્યુ હતું કે, જામમામદ ભટ્ટી હત્યાના ગુનામાં તા. ૧૩/૯/૨૦૦૦ થી આજીવન કેદની સજામાં મોરબીની જેલમાં છે અને તેને ૧૬ વર્ષનો સમયગાળો જેલમાં થયેલ છે અને આ કેદીએ જેલમાં અલગ અલગ ટ્રેનીંગ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો અને તાલીમ કોર્સમાં ભાગ લીધો હતો અને આંબેડકર યુનીવર્સીટીમાં અભ્યાસ કરી સર્ટીફીકેટ કોર્સ પણ કર્યો હતો આવી જ રીતે આજીવન કેદના આરોપી કુંવરબેન ઘોઘાના પુત્રવધુ સળગીને મોત પામ્યા હતા જે ગુનામાં તા. ૮/૮૨૦૦૮ થી મોરબીની જેલમાં છે અને તેને પણ ૧૬ વર્ષનો સમય જેલમાં કાઢ્યો છે આ બંને કેદીઓ માટે કમિટીને રીપોર્ટ મોકલાયો હતો જેના આધારે તેઓની પ્રવૃતિઓ, સારી વર્તણુકને ધ્યાને લઈને સરકાર દ્વારા બંને કેદીઓને જેલમુક્ત કરવાનો આદેશ કરેલ છે જેથી તેને ગઇકાલે સાંજે જેલમાંથી મુક્તિ આપવામાં આવી હતી






Latest News