વાંકાનેરના હત્યાના ગુનામાં સંડોવાયેલ મહિલા આરોપીનો જામીન પર છુટકારો
મોરબીની સબ જેલમાંથી આજીવન કેદના બે આરોપીઓને જેલમુક્ત કરાયા
SHARE
મોરબીની સબ જેલમાંથી આજીવન કેદના બે આરોપીઓને જેલમુક્ત કરાયા
મોરબીની સબ જેલમાં આજીવન કેદની સજા પામેલ બે કેદીઓને સારી વર્તણુક સહિતની બાબતોને ધ્યાને રાખીને જેલ તંત્ર દ્વારા આપેલ રીપોર્ટ આધારે કમિટી દ્વારા જેલમુક્ત કરવાનો નિર્ણય કર્યો હતો અને ગઇકાલે બે આજીવન કેદના આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા હતા
મોરબીની સબ જેલમાં જુદાજુદા ગુનાના આરોપીઓને રાખવામા આવતા હોય છે તેમાં આજીવન કેદની સજા પામેલ જામમામદ આમદ ભટ્ટી (૪૫) તેમજ કુંવરબેન ઘોઘા નગવાડીયા (૬૨)ને પણ રાખવામા આવ્યા હતા અને જેની માહિતી આપતા જેલના અધિકારી જણાવ્યુ હતું કે, જામમામદ ભટ્ટી હત્યાના ગુનામાં તા. ૧૩/૯/૨૦૦૦ થી આજીવન કેદની સજામાં મોરબીની જેલમાં છે અને તેને ૧૬ વર્ષનો સમયગાળો જેલમાં થયેલ છે અને આ કેદીએ જેલમાં અલગ અલગ ટ્રેનીંગ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો અને તાલીમ કોર્સમાં ભાગ લીધો હતો અને આંબેડકર યુનીવર્સીટીમાં અભ્યાસ કરી સર્ટીફીકેટ કોર્સ પણ કર્યો હતો આવી જ રીતે આજીવન કેદના આરોપી કુંવરબેન ઘોઘાના પુત્રવધુ સળગીને મોત પામ્યા હતા જે ગુનામાં તા. ૮/૮૨૦૦૮ થી મોરબીની જેલમાં છે અને તેને પણ ૧૬ વર્ષનો સમય જેલમાં કાઢ્યો છે આ બંને કેદીઓ માટે કમિટીને રીપોર્ટ મોકલાયો હતો જેના આધારે તેઓની પ્રવૃતિઓ, સારી વર્તણુકને ધ્યાને લઈને સરકાર દ્વારા બંને કેદીઓને જેલમુક્ત કરવાનો આદેશ કરેલ છે જેથી તેને ગઇકાલે સાંજે જેલમાંથી મુક્તિ આપવામાં આવી હતી