મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબીની સબ જેલમાંથી આજીવન કેદના બે આરોપીઓને જેલમુક્ત કરાયા


SHARE













મોરબીની સબ જેલમાંથી આજીવન કેદના બે આરોપીઓને જેલમુક્ત કરાયા

મોરબીની સબ જેલમાં આજીવન કેદની સજા પામેલ બે કેદીઓને સારી વર્તણુક સહિતની બાબતોને ધ્યાને રાખીને જેલ તંત્ર દ્વારા આપેલ રીપોર્ટ આધારે કમિટી દ્વારા જેલમુક્ત કરવાનો નિર્ણય કર્યો હતો અને ગઇકાલે બે આજીવન કેદના આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા હતા

મોરબીની સબ જેલમાં જુદાજુદા ગુનાના આરોપીઓને રાખવામા આવતા હોય છે તેમાં આજીવન કેદની સજા પામેલ જામમામદ આમદ ભટ્ટી (૪૫) તેમજ કુંવરબેન ઘોઘા નગવાડીયા (૬૨)ને પણ રાખવામા આવ્યા હતા અને જેની માહિતી આપતા જેલના અધિકારી જણાવ્યુ હતું કે, જામમામદ ભટ્ટી હત્યાના ગુનામાં તા. ૧૩/૯/૨૦૦૦ થી આજીવન કેદની સજામાં મોરબીની જેલમાં છે અને તેને ૧૬ વર્ષનો સમયગાળો જેલમાં થયેલ છે અને આ કેદીએ જેલમાં અલગ અલગ ટ્રેનીંગ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો અને તાલીમ કોર્સમાં ભાગ લીધો હતો અને આંબેડકર યુનીવર્સીટીમાં અભ્યાસ કરી સર્ટીફીકેટ કોર્સ પણ કર્યો હતો આવી જ રીતે આજીવન કેદના આરોપી કુંવરબેન ઘોઘાના પુત્રવધુ સળગીને મોત પામ્યા હતા જે ગુનામાં તા. ૮/૮૨૦૦૮ થી મોરબીની જેલમાં છે અને તેને પણ ૧૬ વર્ષનો સમય જેલમાં કાઢ્યો છે આ બંને કેદીઓ માટે કમિટીને રીપોર્ટ મોકલાયો હતો જેના આધારે તેઓની પ્રવૃતિઓ, સારી વર્તણુકને ધ્યાને લઈને સરકાર દ્વારા બંને કેદીઓને જેલમુક્ત કરવાનો આદેશ કરેલ છે જેથી તેને ગઇકાલે સાંજે જેલમાંથી મુક્તિ આપવામાં આવી હતી






Latest News