મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાના નાણાં ધીરધારના કેસમાં આરોપીના રેગ્યુલર જામીન મંજુર


SHARE







વાંકાનેર તાલુકાના નાણાં ધીરધારના કેસમાં આરોપીના રેગ્યુલર જામીન મંજુર

વાંકાનેર તાલુકાના નાણાં ધીરધારના કેસમાં આરોપીના રેગ્યુલર જામીન માટે મોરબીની ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને રાખીને આરોપીના રેગ્યુલર જામીન મંજુર કરવામાં આવેલ છે

વાંકાનેરના રહેવાસી ફરીયાદી ગેલાભાઈ વિનુભાઈ સાપરાએ આરોપીઓ વિરુધ્ધ નાણાં ધીરધાર તથા ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ કરી હતી અને ફરિયાદીની બળજબરીથી જમીન લખાવી લેવાનો આક્ષેપ પણ ફરીયાદમાં કર્યો હતો જેથી કરીને આ કેસમાં અન્ય આરોપી જામીન અરજી નામંજુર થયા બાદ હાઈકોર્ટમાં ગયેલ હતા જયારે હાલના આરોપી વિરેન્દ્રસિંહ ઉર્ફે વિનુભા નટુભા ઝાલાએ મોરબીની સેસન્સ કોર્ટમાં જામીન અરજીની દાખલ કરતા તેઓના જામીન મંજુર થયેલ છે. જેના વકીલ તરીકે મોરબીના એડવોકેટ એચ.આર. નાયક મારફતે મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ હતી અને આરોપી તરફે વકીલ એચ.આર. નાયક દ્વારા કેસના સંજોગો તથા કાયદાકીય જોગવાઈઓના આધારે ધારદાર દલીલ કરવામાં આવી હતી જેના ધ્યાને રાખીને આરોપીને ચાર્જશીટ બાદ રેગ્યુલર જામીન પર પર છોડવા જામીન અરજી મંજુરનો હુકમ કરેલ છે






Latest News