મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

વાકાનેરમાં વર્ષો પહેલા થયેલ પથ્થરમારાના હાફ મર્ડરના ગુનામાં ૧૪ આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE













વાકાનેરમાં વર્ષો પહેલા થયેલ પથ્થરમારાના હાફ મર્ડરના ગુનામાં ૧૪ આરોપીનો નિર્દોષ છુટકારો

વાંકાનેરમાં ૨૦૧૧ માં સામ સામે ફરિયાદ થયેલ હતી જે કેસ કોર્ટમાં ચાલવા માટે મોરબીના સિનિયર ધારાશાસ્ત્રી જગદીશભાઈ ઓઝા રોકાયા હતા આ ગુનામાં ૧૪ આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ ૩૦૭ વીગેરેની કલમ અન્વયે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવેલ હતો આ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે ૧૪ આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે

આ કેસ ચાલવા માટે મોરબીના સિનિયર ધારાશાસ્ત્રી જગદીશભાઈ ઓઝા રોકાયા હતા અને વકીલની ધારદાર દલીલો તથા હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના જજમેટો રજુ કરેલ હતા અને તેને ધ્યાને લઈને મોરબીના મહે. પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ સાહેબ દ્વારા તમામ આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે આ કેસમાં મોરબીના સીનીયર ધરાશાસ્ત્રી જગદીશભાઈ ઓઝા, ફેનિલભાઈ ઓઝા, રાજવીબેન ઓઝા, યુવા વકીલ દેવ કે. જોષી, શહેનાઝબેન સુમરા અને લેખરાજ ગઢવી રોકાયેલ હતા.






Latest News