વાકાનેરમાં વર્ષો પહેલા થયેલ પથ્થરમારાના હાફ મર્ડરના ગુનામાં ૧૪ આરોપીનો નિર્દોષ છુટકારો
મોરબીના દુષ્કર્મ કેસમાં પકડાયેલા આરોપીના શરતી જામીન મંજૂર
SHARE
મોરબીના દુષ્કર્મ કેસમાં પકડાયેલા આરોપીના શરતી જામીન મંજૂર
મોરબીના ચકચારી દુષ્કર્મ કેશના આરોપીના જામની માટે મોરબીની કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેમાં આરોપીના વકીલની દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી જામીન મંજૂર કરેલ છે
મોરબી એ ડીવી પોલીસમાં ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ હતી કે આ કામના આરોપીએ તેની માધાપર વિસ્તારમાં આવેલી પાન માવાની દુકાને ફરીયાદીની બહેન રાત્રે આરોપીની દુકાને વસ્તુ લેવા ગયેલ હતી ત્યારે આરોપીએ ભોગ બનનારને પાન મસાલા આપવાના બહાને આરોપીએ દુકાન સામે આવેલ અવાવરુ ઓરડીમાં લઈ જઈ આ કામના ભોગબનનાર યુવતી સાથે દુષ્કર્મ આચરેલ છે જે ફરિયાદ આધારે મોરબી એ ડીવીઝન પોલીસે આઇપીસી કલમ-૩૭૬(૧) મુજબનો ગુનો નોંધી આરોપી ગોપાલભાઈ ભોજાભાઈ મકવાણા જાતે ભરવાડની ધરપકડ કરેલ હતી અને આરોપી ગોપાલભાઈ ભોજાભાઈ મકવાણાએ મોરબીના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા મારકત નામદાર સેસન્સ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ હતી અને આરોપી તરફ એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયાએ કાયદાને લગતા સુપ્રીમ અને હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ રજુ કર્યા હતા અને ધારદાર દલીલ કરેલ હતી જેથી આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખીને આરોપીના શરતી જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ છે આ કામમાં આરોપી તરફે મોરબી જીલ્લાના પ્રખ્યાત સીનીયર એડ્વોકેટ દીલીપભાઈ અંગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, જે.ડી.સોલંકી, કુલદીપ ઝીઝુવાડીયા, રવી ચાવડા, હીતેશ પરમાર રોકાયેલા હતા.