પ્રામાણીકતા: મોરબીના મોડપર ગામ નજીકથી મળેલ પર્સ મૂળ માલીકને પરત આપ્યું
SHARE
પ્રામાણીકતા: મોરબીના મોડપર ગામ નજીકથી મળેલ પર્સ મૂળ માલીકને પરત આપ્યું
મોરબી તાલુકાનાં મોડપર ગામે રહેતા રાણાભાઈ વાલાભાઇ ભરવાડને રોકડા રૂપિયા ભરેલ પર્સ મળી આવ્યું હતુ જે કોઈ પણ પ્રકારના લોભ કે લાલચ વગર તેને મૂળ માલિક ખારચીયા ગામના રવિરાજસિંહને પરત આપી દીધેલ છે વધુમાં મળતી માહિતી મુજબ ખારચીયા ગામના રવિરાજસિંહ લગ્નની ખરીદી કરવા માટે જતાં હતા ત્યારે તેનું રોકડા રૂપિયા ભરેલ પર્સ રસ્તમાં પડી ગયુ હતું. તે પર્સ મોડપરથી બીલીયા ગામ વચ્ચે રાણાભાઈને મળ્યુ હતુ જે તેઓએ રવિરાજસિંહને પરત આપીને પ્રમાણિક્તાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું છે.