ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા રાજપૂત કરણી સેનાની મધુપુર ગામે આવેલા મંદિરે સાધારણ સભા યોજાઈ


SHARE













મોરબી જીલ્લા રાજપૂત કરણી સેનાની મધુપુર ગામે આવેલા મંદિરે સાધારણ સભા યોજાઈ

મોરબી જીલ્લા રાજપૂત કરણી સેનાની તાજેતરમાં મોરબી તાલુકાનાં મધુપુર ગામે આવેલ મેલડી માતાજીના મંદિર ખાતે રાષ્ટ્રીય સંયોજક પ્રવિણસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને સાધારણ સભાની બેઠક મળી હતી જેમાં રાજપુત કરણી સેનાના તાલુકા પ્રમુખો, જીલ્લા પ્રભારી તેમજ શહેર અને જીલ્લા પ્રમુખો સહિતના યુવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા આ બેઠકમાં મોરબી જીલ્લા રાજપુત કરણી સેનાની કારોબારી સમિતિ બનાવવામાં આવી હતી. જેમાં સંગઠનના સંચાલનની જવાબદારી કારોબારી સભ્યોને આપવામાં આવેલ છે તેમજ કારોબારીની મિટિંગ મહીનાના છેલ્લા રવિવારે મળશે અને જીલ્લાની સામાન્ય સભા દર ત્રણ મહિને અલગ-અલગ તાલુકામાં મળશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેમજ ખાસ કરીને સમાજના વિદ્યાર્થીઓ, આર્થિક રીતે નબળા લોકો, રાજપુત સમાજના વિધવા બહેનોને સહાય અને તેમના બાળકોને શિક્ષણ માટે પુસ્તકો આપવા જેવા સમાજ ઉપયોગી કાર્યો માટે ભંડોળ ઉભું કરવાનું આયોજન આ મિટીંગમાં કરવામાં આવ્યું હતું. આ તકે દીગુભા ઝાલા (જીલ્લા પ્રભારી), જયદેવસિંહ ઝાલા (મોરબી જીલ્લા પ્રમુખ) તેમજ વાંકાનેર, હળવદ, ટંકારા, માળિયા તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News