મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના વાવડી અને જોડીયાના કોઠારીયા ગામે રહેતા આધેડના હૃદય ધબકારા ચૂકી જતા બંનેમા મોત


SHARE







મોરબીના વાવડી અને જોડીયાના કોઠારીયા ગામે રહેતા આધેડના હૃદય ધબકારા ચૂકી જતા બંનેમા મોત

મોરબીના વાવડી ગામ સમજુબા સ્કૂલ પાસે રહેતા આધેડને ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો પડ્યો હતો જેથી સારવાર માટે દવાખાને લઈ જતા ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોતની તો જીવવાનો સૂત્રોમાંથી જાણવા મળેલ છે. તેમજ જોડિયા નજીકના કોઠારીયા ગામે રહેતા વૃદ્ધ તેઓના ઘરે ટીવી જોતા હતા ત્યારે ટીવી જોતા જોતા પડી જતા તેઓનું મોત નીપજવાનું જાણવા મળેલ છે

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના વાવડી ગામે આવેલ સમજુબા સ્કૂલ પાસે ભૂમિ મેડિકલ ઉપર રહેતા રમેશભાઈ ધનજીભાઈ ડઢાણીયા જાતે પટેલ ઉમર 49 વાળા ને તેઓના ઘરે છાતીમાં દુખાવો પડ્યો હતો જેથી કરીને તેમનો પુત્ર રવિ રમેશભાઈ ડેઢાણીયા તેને રીક્ષામાં સારવાર માટે લઈ જતો હતો ત્યારે હોસ્પિટલ ખાતે પહોંચતા જોઈ તપાસીને ફરજ પરના કદી બે રમેશભાઈ ડઢાણિયાને મૃત જાહેર કર્યા હતા હાલ આ બનાવ અંગે એડી દાખલ કરીને એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ હતી.

વધુમાં મોરબી સીટી એડમિશન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવેલા કોઠારીયા ગામે રહેતા ભરતસિંહ લાલુભા જાડેજા નામના 65 વર્ષના વૃદ્ધને બેભાન હાલતમાં મોરબી લાવવામાં આવ્યા હતા અને અહીં હોસ્પિટલ ખાતે જોઈ તપાસીને તેઓને મૃત જાહેર કરાયા હતા તેઓ તેમના ઘરે ટીવી જોતા જોતા સમયે પડી ગયા હતા અને તેઓનો મોત નીપજો હોવાનો હાલ પ્રાથમિક ધોરણે જાણવા મળે છે આ બાબતે એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી બનાવ સંદર્ભે જોડિયા પોલીસને જાણ કરી હતી.

ઝેરી અસર થતા સારવારમાં

મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકામાં આવેલા વવાણીયા ગામે રહેતા ભરતભાઈ મેરામભાઇ રાઠોડ નામના 29 વર્ષના યુવાને ઝેરી અસર થયેલ હાલતમાં સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલમાં લાવવામાં આવેલ છે આ બાબતે હોસ્પિટલ ખાતે તેની સારવાર ચાલુ કરવામાં આવ્યા બાદ એડિવિઝન પોલીસ મથકમાં જાણ કરવામાં આવેલી હોય હાલ એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ગત તારીખ 28 ના રોજ ભરતભાઈ રાઠોડ બાળવા માટે દવાનો છંટકાવ કરતા હતા તે સમયે દવાના સ્પ્રે ની નોઝલ થી મોંમાં દવા છંટાઈ જતા તેઓને અસર થઈ હતી જેમાં તેઓને સારવાર માટે લાવવામાં આવ્યા છે.

યુવાન સારવારમાં

મૂળ રાજસ્થાનના મયોધન વિસ્તારના રહેવાસીઅને હાલ મોરબી રહેતા ઓમકાર અશોકભાઈ પરમાર નામના ૩૬ વર્ષના યુવાનને મોરબીના વાંકાનેર હાઇવે મકનસર ગામે આવેલા રાજા ટ્રાન્સપોર્ટ નજીકથી બેભાન હાલતમાં 108 વડે સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલો છે હાલ હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસ મથકમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના એ એમ જાપડીયા દ્વારા નોંધ કરી તપાસ શરૂ કરાય છે.






Latest News