મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીનો યુવાન રાજકોટથી બાઇક લઈને પરત આવતો હતો, બાઇક પશુ સાથે અથડાતા અમદાવાદ લઈ જવાતા સમયે રસ્તામાં યુવાનનું મોત


SHARE







મોરબીનો યુવાન રાજકોટથી બાઇક લઈને પરત આવતો હતો, બાઇક પશુ સાથે અથડાતા અમદાવાદ લઈ જવાતા સમયે રસ્તામાં યુવાનનું મોત

મૂળ મોરબીનો યુવાન તેના મામાને ત્યાં રહીને રાજકોટ ખાતે ગેરેજનું કામકાજ કરતો હોય એને બાઈક લઈને તે રાજકોટથી પરત મોરબી આવતો હતો ત્યારે રસ્તામાં મોરબી-રાજકોટ હાઇવે ઉપર ટંકારા નજીક અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં તેનું બાઈક પશુ સાથે અથડાતા ઈજા પામેલ યુવાનને પ્રથમ મોરબી બાદ રાજકોટ અને ત્યાંથી અમદાવાદ લઈ જવાતા સમયે રસ્તામાં યુવાનનું મોત નિપજયુ હોવાનો બનાવ સામે આવેલ છે. 

બનાવ સંદર્ભે મળતી માહિતી પ્રમાણે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા વિનોદભાઈ જાદવાણીનો પુત્ર રવિ વિનોદભાઈ જાદવાણી (ઉંમર વર્ષ ૨૮) કે જે હાલ રાજકોટ ખાતે તેના મામાને ત્યાં રહીને રાજકોટ ખાતે જ ગેરેજનું કામકાજ કરતો હતો.તે રવિ જાદવાણી ગત તા.૩૦-૧ ના રોજ મોડી રાત્રીના તેનું બાઈક લઈને રાજકોટથી મોરબી આવવા માટે નીકળ્યો હતો.ત્યારે રસ્તામાં વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં તેને ઇજાઓ થતાં રવિ જાદવાણીને પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ત્યાંથી મોરબીની ખાનગી આયુષ હોસ્પિટલ ખાતે બાદમાં વધુ સારવાર માટે રાજકોટની વોકહાર્ડ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જતા સમયે રસ્તામાં રવિ જાદવાણીનું મોત નીપજ્યું હતું.જેથી તેના મૃતદેહને પીએમ માટે અત્રેની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.

જ્યાંથી બનાવ સંદર્ભે જાણ થતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા બનાવની નોંધ કરીને આ અંગે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી તેઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક રવિ જાદવાણી અપરિણીત હતો અને રાજકોટ તેના મામાની સાથે રહેતો હતો અને રાજકોટ ખાતે જ ગેરેજનું કામકાજ કરતો હતો. દરમિયાનમાં તે ગત તા.૩૦ ના મોડીરાત્રિના પોતાનું બાઈક લઈને રાજકોટથી પરત મોરબી આવતો હતો ત્યારે મોરબી-રાજકોટ હાઇવે ઉપર ટંકારા ખાતે આવેલ ખોડીયારધામ નજીકના બાલાજી ફાર્મના બોર્ડ પાસે તેના બાઇક સાથે કોઈ પશુ અથડાતા આ અકસ્માત બનાવ સર્જાયો હતો.જેમાં તેને ગંભીર ઈજાઓ થતાં મોરબી બાદ રાજકોટ અને ત્યાંથી અમદાવાદ લઈ જતા સમયે રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું.હાલ આ બનાવ ટંકારોનો છે પરંતુ ત્યાં કુવાડવા પોલીસ સ્ટેશનની હદ લાગુ પડતી હોય ત્યાં આગળની તપાસ માટે જાણ કરવામાં આવી હતી.






Latest News