મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીની સરકારી આંખની હોસ્પિટલમાંથી સુરેશભાઈ એચ. કાલરીયા વયનિવૃત થતા વિદાય સમારોહ યોજાયો


SHARE







મોરબીની સરકારી આંખની હોસ્પિટલમાંથી સુરેશભાઈ એચ. કાલરીયા વયનિવૃત થતા વિદાય સમારોહ યોજાયો

મોરબીમાં આવેલ સરકારી આંખની હોસ્પિટલ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી ફરજ બજાવતા સીનીયર ઓપટોમેટ્રીસ્ટ સુરેશભાઈ એચ. કાલરીયા વયનિવૃત્ત થતાં આજે સરકારી આંખની હોસ્પિટલ ખાતે વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે હોસ્પિટલના અધિક્ષક ડો. કૈલા, આંખના સર્જન ડો. રૂપાલા, ડો. બાવરવા, ડો.બીના વિરમગામા, ઈન્ચાર્જ જીજ્ઞાબેન રાવલ, દિનેશભાઈ ચાવડા તથા હોસ્પિટલનો સ્ટાફ હાજર રહ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેશભાઈ કાલરીયાએ ૩૯ વર્ષ સુધી સરકારમાં નોકરી કરેલ છે તેમજ તેઓએ મોરબી સરકારી આંખની હોસ્પિટલમાં છેલ્લા ૨૮ વર્ષથી ફરજ બજાવતા હતા આ વિદયા સમારોહના કાર્યક્રમનું સંચાલન ઈન્ચાર્જ જગદીશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું






Latest News