મોરબીની સરકારી આંખની હોસ્પિટલમાંથી સુરેશભાઈ એચ. કાલરીયા વયનિવૃત થતા વિદાય સમારોહ યોજાયો
મોરબી પરશુરામ યુવા ગૃપ દ્વારા કલેકટરની બદલી થતાં વિદાયમાન અપાયું
SHARE
મોરબી પરશુરામ યુવા ગૃપ દ્વારા કલેકટરની બદલી થતાં વિદાયમાન અપાયું
સરકાર દ્વારા રાજયમાં ૫૦ આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં મોરબી જિલ્લાના કલેક્ટર જી.ટી. પંડ્યાની પણ બદલી કરીને દેવભૂમિ દ્વારકા ખાતે મૂકવામાં આવેલ છે અને નવા કલેક્ટર તરીકે કિરણ બિપીનચંદ્ર ઝવેરીને મૂકવામાં આવ્યા છે. ત્યારે મોરબીથી બદલી પામેલા કલેક્ટર જી.ટી. પંડ્યાનું પરશુરામ યુવા ગ્રુપ દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ તકે મોરબી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ અતુલભાઈ જોશી, ઉપપ્રમુખ ઋસીભાઈ મહેતા, સંકલન સમિતિના નીરજભાઈ ભટ્ટ, ચિંતનભાઈ ભટ્ટ, બ્રહ્મ સમાજના યુવા આગેવાન ડૉ. રવીન્દ્રભાઇ ભટ્ટ, યગ્નેશભાઈ રાવલ સહિતના હાજર રહ્યા હતાં