મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનો ડીડીઓએ શુભારંભ કરાવ્યો
અર્થ વ્યવસ્થાને સંજીવની રૂપ બજેટ: સાંસદ વિનોદ ચાવડા
SHARE
અર્થ વ્યવસ્થાને સંજીવની રૂપ બજેટ: સાંસદ વિનોદ ચાવડા
દેશના નાણાંમંત્રીએ રેલ્વે ઇન્ફાસ્ટ્રકચર પર થતાં ખર્ચમાં ૧૧% ટકાનો વધારો કરીને જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેની સાથોસાથ વંદે ભારત ટ્રેનોની ૪૦ હજાર બોગી અપગ્રેડ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ બજેટને કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ અર્થ વ્યવસ્થાને સંજીવની રૂપ બજેટ ગણાવ્યું છે
અંતરીમ બજેટ રજુ કરતાં નાણાંમંત્રીએ ટેક્સ સ્લેબ અને ટેક્સ સિસ્ટમમાં કોઈ ફેરફાર કર્યો નથી. દેશ જયારે અમૃતકાળમાં પ્રવેશી ચૂક્યું છે. ત્યારે વિકાસ અને પ્રગતિનો આધાર નક્કી કરવા ઉર્જા ક્ષેત્રે, હર ઘર નલ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત ૨૦૨૩/૨૪ ના બજેટ પ્રાવધાન માં કોઈ ફેરફાર કરવામાં આવેલ નથી. નાણાકીય ક્ષેત્ર ને વધુ મજબુત અને વધુ સરળતા થી કામ કરવા સક્ષમ બનાવવામાં આવી રહ્યું છે. જેને આવકારતા સાંસદ વિનોદ ચાવડાએ અર્થ વ્યવસ્થાને સંજીવનીરૂપ બજેટ આશા વિકાસ અને તમામ ક્ષેત્રોમાં કોઈ પણ ફેરફાર વગર રજુ થયેલ છે.