મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં લગ્ન પ્રસંગમાં આવેલ વકીલની ગાડીમાંથી સોનાના ચાર તોલાના સેટની ચોરી કરનારા આરોપીની ધરપકડ


SHARE















મોરબીમાં લગ્ન પ્રસંગમાં આવેલ વકીલની ગાડીમાંથી સોનાના ચાર તોલાના સેટની ચોરી કરનારા આરોપીની ધરપકડ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ પવિત્ર હોલ પાસે પાર્ક કરીને મૂકવામાં આવેલ ગાડીનો કાચ તોડીને તેમાંથી સોનાના ચાર તોલાના સેટની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને બનેલા યુવા વકીલે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ૧.૫૩ લાખ થી વધુની ચોરી અને કારમાં નુકશાનની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની પાસેથી ચોરીમાં ગયેલ મુદામાલ રિકવર કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે દ્વારકા જિલ્લાના જામખંભાળિયા ખાતે ગણાત્રા હોલની બાજુમાં રામનાથ સોસાયટીમાં રહેતા વકીલ કિરીટભાઈ મનસુખભાઈ નિમાવત જાતે બાબાજી (૪૭)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી કે, ગત તા. ૨૭/૧/૨૪ ના રોજ રાત્રિના આઠ વાગ્યાથી લઈને રાત્રિના ૧૨:૦૦  વાગ્યા સુધી તેઓએ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ પવિત્ર હોલના પાર્કિંગમાં તેની કાર નંબર જીજે ૩૭ જે ૫૯૨૪ પાર્ક કરીને મૂકી હતી અને ત્યારે તે કારનો સાઇડનો એક કાચ તોડીને કારમાં ૩૦૦૦ રૂપિયાની નુકસાની કરેલ હતી તેમજ કારમાં રહેલ પર્સમાં રાખવામાં આવેલ ચાર તોલાના સોનાના સેટની ચોરી કરવામાં આવી હતી જેથી કુલ મળીને ૧,૫૩,૯૯૦ રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવા અંગેની ભોગ બનેલા યુવાને અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે આરોપી ધરમભાઇ જસવંતભાઈ ધાંધીયા જાતે રાજગોર (૨૬) રહે. આશાપુરા ચોકડી મામા દેવના મંદિરની પાસે ગોંડલ જિલ્લો રાજકોટ મૂળ રહે. નોળી તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરેલ છે

વધુમાં પોલીસ પાસેથી જાણવા મળેલ માહિતી મુજબ આ શખ્સ દ્વારા ન માત્ર મોરબી પંરતુ આવી જ રીતે જુનાગઢમાં પણ ચોરી કરવામાં આવી હતી જેથી ત્યાં તેની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તેને મોરબીમાં પણ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી જેથી કરીને મોરબી પોલીસે આ આરોપીનો ત્યાંથી કબ્જો કરીને ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને આ આરોપીએ ચોરી કરેલ સોનાના સેટને સોનીને આપીને તેની પત્નીના દાગીના છે અને તેને સસ્તામાં જમીન મળી રહી છે જે તેને લેવી છે માટે સોનાના દાગીનાને ઓગાળીને ઢાળિયો બનાવી નાખ્યો હતો જેને પોલીસે હાલમાં કબ્જે લીધેલ છે અને આરોપીના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે






Latest News