વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં જુવેનાઈલ જસ્ટીસ અને ચાઈલ્ડ વેલ્ફેર કમિટીમાં હોદેદારોની વરણી


SHARE













મોરબી જીલ્લામાં જુવેનાઈલ જસ્ટીસ અને ચાઈલ્ડ વેલ્ફેર કમિટીમાં હોદેદારોની વરણી

રાજ્ય સરકારના સોશ્યલ જસ્ટીસ એન્ડ એમ્પાવરમેન્ટ ડીપાર્ટમેન્ટ દ્વારા રાજ્યના વિવિધ જીલ્લામાં જુવેનાઈલ જસ્ટીસ બોર્ડના ચેરપર્સન તેમજ સભ્યોની નિમણુક કરવામાં આવી છે તેવી જ રીતે જીલ્લાના ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના હોદેદારોની નિમણુક કરવામાં આવી છે અને તેમના નામ જાહેર કરવામાં આવ્યા છે

ગુજરાત રાજ્યના 33 પૈકીનાં ૧૨ જિલ્લામાં સભ્યોને નિમણુક આપવામાં આવી છે જેમાં જુવેનાઈલ જસ્ટીસ બોર્ડ મોરબીના સભ્ય તરીકે રાજેશભાઈ હીરાલાલ બદ્રકીયા અને પલ્લવી કિશોરભાઈ ચંડીભમ્મરની નિમણુક કરવામાં આવી છે આવી જ રીતે રાજ્યના જુદાજુદા જીલ્લાના ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના હોદેદારોની નિમણુક કરવામાં આવેલ છે જેમાં મોરબી ચાઈલ્ડ વેલ્ફેર કમિટી મોરબીના ચેરપર્સન તરીકે ગડારા રમાબેન જયસુખભાઈની નિમણુક કરાયેલ છે તેમજ સભ્ય તરીકે પીયુતાબેન નાડપરા, દીપા ગિરજાશંકર રાવલ અને વકીલ તેમજ નોટરી ખુશ્બુ યોગેશભાઈ કોઠારીની નિમણુક કરવામાં આવેલ છે તેવું જાણવા મળેલ છે






Latest News