ટંકારા ખાતે હજરત ગેબનશાહપીરનો આજે ઉર્ષ મુબારક, કવ્વાલીનું આયોજન કરાયું
વાંકાનેરના તીથવા ગામે જમણવારનું આમંત્રણ ન આપતા થયેલ માથાકૂટમાં પકડાયેલા બે આરોપીના જામીન મંજૂર
SHARE
વાંકાનેરના તીથવા ગામે જમણવારનું આમંત્રણ ન આપતા થયેલ માથાકૂટમાં પકડાયેલા બે આરોપીના જામીન મંજૂર
વાંકાનેર તાલુકાના તીથવા ગામે માતાજીના જમણવારમાં આમંત્રણ નહી આપવા બાબતે માથાકૂટ થયેલ હતી અને તે ગુનામાં બે આરોપીને પકડવામાં આવ્યા હતા તે બંને આરોપીઓના સેસન્સ કોર્ટ દ્વારા રેગ્યુલર જામીન મંજુર કરવામાં આવેલ છે.
આ કેસની વિગત મુજબ આરોપી ભરતભાઈ ગોવિંદભાઈ અઘારા તથા ગોવિંદભાઈ કાનજીભાઈ અઘારા રહે. બંને તીથવા સામે આઈપીસી કલમ ૩૨૨, ૩૨૫, ૩૨૬, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તેમજ જીપી એક્ટ ૧૩૫ મુજબ મારામારીનો ગુન્હો દાખલ થયેલ હતો. જેમાં એફઆઈઆર ઉપર નામદાર સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવેલ હતી જેમાં આરોપીઓના એડવોકેટની ધારદાર દલીલોને ધ્યાને લઈ શરતોને આધીન બંને આરોપીની જામીન અરજી કોર્ટે મંજુર કરેલ છે. આ બંને આરોપી વતી વાંકાનેર બાર એસો.ના પૂર્વ પ્રમુખ મયુરસિંહ પરમાર, વિવેક વરસડા, ભગીરથસિંહ જાડેજા તથા વિજય બાંભવા રોકાયેલ હતા.