મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી ભારત વિકાસ પરિષદ દ્રારા બાલ સ્વાસ્થ્ય શિબિર યોજાઇ


SHARE













મોરબી ભારત વિકાસ પરિષદ દ્રારા બાલ સ્વાસ્થ્ય શિબિર યોજાઇ

ભારત વિકાસ પરિષદ મોરબી શાખા, આઈએમએ-મોરબી તથા એમઓજીએસ દ્વારા  શાળાના બાળકો માટે એક સ્વાસ્થ શિબિરનું આયોજન લખધીરનગર  પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવેયું હતુ.જેમાં કુમારિકાઓને નિઃશુલ્ક હિમોગ્લોબીન તપાસ કરીને દવાઓ આપવામાં આવી હતી.આ શિબિરમાં ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના અધ્યક્ષ ડો.જયેશભાઈ પનારાએ સમતોલ અને પૌષ્ટિક આહાર કેવી રીતે લેવો તેની માહિતી, એનિમિયા થવાના કારણો અને શરીર પર થતી અસરો તથા એનિમિયા નિવારણના ઉપાયોનું હળવી શૈલીમા માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના આ કાર્યક્રમના સંયોજક રાવતભાઈ  કાનગડ ઉપસ્થિત રહયા હતા.લખધીરનગર પ્રાથમિક શાળાના શિક્ષક ભરતભાઈ  કાવરએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.શાળાના તમામ શિક્ષક સ્ટાફ તથા લખધીરનગરના શાળાના વાલીઓ વગેરે ઉપસ્થિત  રહીને બાળકોનો ઉત્સાહ વધાર્યો  હતો.આઈએમએ-મોરબી તથા ડો.વિરલ લહેરૂ (લહેરૂ પેથોલોજી લેબ) એ બાળાઓની નિ: શુલ્ક લોહીનું  પરીક્ષણ કરી આર્થિક સહયોગ આપેલ . કાર્યક્રમની અંતમાં લગધીરનગર  પ્રાથમિક શાળાના સહયોગથી  પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવ્યો  હતો.શાળાના આચાર્ય રાવતભાઈ કાનગડ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.કાર્યક્રમ સફળ બનાવવા રાવતભાઈ  કાનગડ, હિંમતભાઈ મારવાણિયા, ડો.જયેશભાઈ પનારાએ જહેમત ઉઠાવી હતી.






Latest News