મોરબી : માનસિક અસ્વસ્થ ભૂલી પડેલ મહિલાને પતિ સાથે મિલન કરાવતી ૧૮૧ અભયમ ટીમ
મોરબી ભારત વિકાસ પરિષદ દ્રારા બાલ સ્વાસ્થ્ય શિબિર યોજાઇ
SHARE
મોરબી ભારત વિકાસ પરિષદ દ્રારા બાલ સ્વાસ્થ્ય શિબિર યોજાઇ
ભારત વિકાસ પરિષદ મોરબી શાખા, આઈએમએ-મોરબી તથા એમઓજીએસ દ્વારા શાળાના બાળકો માટે એક સ્વાસ્થ શિબિરનું આયોજન લખધીરનગર પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવેયું હતુ.જેમાં કુમારિકાઓને નિઃશુલ્ક હિમોગ્લોબીન તપાસ કરીને દવાઓ આપવામાં આવી હતી.આ શિબિરમાં ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના અધ્યક્ષ ડો.જયેશભાઈ પનારાએ સમતોલ અને પૌષ્ટિક આહાર કેવી રીતે લેવો તેની માહિતી, એનિમિયા થવાના કારણો અને શરીર પર થતી અસરો તથા એનિમિયા નિવારણના ઉપાયોનું હળવી શૈલીમા માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના આ કાર્યક્રમના સંયોજક રાવતભાઈ કાનગડ ઉપસ્થિત રહયા હતા.લખધીરનગર પ્રાથમિક શાળાના શિક્ષક ભરતભાઈ કાવરએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.શાળાના તમામ શિક્ષક સ્ટાફ તથા લખધીરનગરના શાળાના વાલીઓ વગેરે ઉપસ્થિત રહીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.આઈએમએ-મોરબી તથા ડો.વિરલ લહેરૂ (લહેરૂ પેથોલોજી લેબ) એ બાળાઓની નિ: શુલ્ક લોહીનું પરીક્ષણ કરી આર્થિક સહયોગ આપેલ . કાર્યક્રમની અંતમાં લગધીરનગર પ્રાથમિક શાળાના સહયોગથી પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવ્યો હતો.શાળાના આચાર્ય રાવતભાઈ કાનગડ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.કાર્યક્રમ સફળ બનાવવા રાવતભાઈ કાનગડ, હિંમતભાઈ મારવાણિયા, ડો.જયેશભાઈ પનારાએ જહેમત ઉઠાવી હતી.