મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના ચકચારી ડીઝલ ચોરીમાં પકડાયેલ પોલીસ કર્મી સહીત છએય આરોપીઓનો જામીન ઉપર છુટકારો


SHARE













મોરબીના ચકચારી ડીઝલ ચોરીમાં પકડાયેલ પોલીસ કર્મી સહીત છએય આરોપીઓનો જામીન ઉપર છુટકારો

મોરબી વીરપરડા ગામ પાસે હોટલમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્રારા રેડ કરવામાં આવી હતી અને ત્યારે જુદા જુદા ટેન્કરોમાંથી પેટ્રોલ અને ડીઝલના જથ્થાની ચોરી કરવામાં આવતી હોવાનો મામલો સામે આવ્યો હતો જે ગુન્હામાં પોલીસ કોન્સ્ટેબલ સહીત ૯ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. અને સ્થળ ઉપરથી સુડતાલીસ લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો આ ગુન્હામાં પકડાયેલ આરોપીઓ પૈકી પોલીસ કર્મચારી ભરતભાઈ પરબતભાઈ મિયાત્રા, રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ દેવાભાઈ ખુંગલા, શકિતસિંહ માધુભા જાડેજા, નેતારામ ઉર્ફે રાજુ જગદીજી બાવરી, ગોવિંદ હડમાનરામજી બાવરી, સંતોક યમનારામ બાવરી, પ્રકાશ નાથુરામ બાવરી, હીરાલાલ ધરમારામ બાવરી અને રાજેશ રામજીભાઈ મારવાણીયા આ તમામ આરોપીઓની ગુન્હાના કામે ધરપકડ કરવામાં આવી હતી અને સ્થળ ઉપરથી સુડતાલીસ લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

આ ગુન્હામાં પકડાયેલા આરોપીઓ પૈકીના પોલીસ કર્મચારી ભરતભાઈ પરબતભાઈ મિયાત્રા, રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ દેવાભાઈ ખુંગલા, શકિતસિંહ માધુભા જાડેજાના રીમાન્ડ માંગવામાં આવેલ હતા અને નામ.અદાલતે ઉપરોકત ત્રણ આરોપીઓના તા.૮-૨ સુધીના રીમાન્ડ મંજુર કર્યા હતા અને આરોપીઓ નેતારામ ઉર્ફે રાજુ જગદીજી બાવરી, ગોવિંદ હડમાનરામજી બાવરી, સંતોક યમનારામ બાવરી, પ્રકાશ નાથુરામ બાવરી, હીરાલાલ ધરમારામ બાવરીની જામીન અરજી નામ.અદાલતમાં દાખલ કરેલ જે જામીન અરજી નામ.અદાલતે મંજુર કરેલ ત્યારબાદ આરોપીઓ ભરતભાઈ પરબતભાઈ મિયાત્રા (પોલીસ કર્મચારી), રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ દેવાભાઈ ખુંગલા અને શક્તિસિંહ માધુભા જાડેજાના રીમાન્ડ પુરા થતા નામ.અદાલતમાં તેમની જામીન અરજી નામ.અદાલતમાં દાખલ કરેલ અને નામ.અદાલતે પોલીસ કર્મચારી સહીત ત્રણેય આરોપીઓના જામીન મંજુર કરેલ જેમાં ભરતભાઈ પરબતભાઈ મીયાત્રા (પોલીસ કર્મચારી) ના વકીલએ દલીલો કરી હતી.આરોપીના વકીલ તરીકે ગોપાલભાઈ ઓઝા તથા કુ.મેનાઝબેન પરમાર રોકાયેલ હતા.






Latest News