મોરબી તાલુકામાં મોટી બહેને નાની બહેનની સાર સંભાળ રાખવા ઠપકો આપતા બહેને અણધાર્યું પગલું ભર્યું
ટંકારાની લજાઈ ચોકડી નજીક સગીરે લેબર કવાર્ટરમાં ન કરવાનું કર્યું
SHARE
ટંકારા તાલુકાના લજાઈ ગામ નજીક આવેલ અંદાજ અપના દેશી ધાબાના સ્ટાફ કવાર્ટરમાં રહેતા સગીરે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને ટંકારા ની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ લજાઈ ગામ પાસે હોનેસ્ટ હોટલની પાછળના ભાગમાં અંદાજ અપના દેશી ધાબા ની ઓરડીમાં રહેતા કિશોરસિંહ લક્ષ્મણસિંહ રાવત જાતે રાજપૂત (૧૬) એ કોઈ કારણોસર લેબર ક્વાર્ટર ની અંદર છતની એંગલ માં ટુવાલ બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને અસલમભાઈ ઇસ્માઈલભાઈ બલોચ (૨૮) રહે હાલ અંદાજ અપના દેશી ધાબા લજાઇ મૂળ રહે સોમનાથ જિલ્લા વાળા ટંકારા તાલુકાના સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવ અંગેની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે આ બનાવની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના એસ.બી. સીદીકી ચલાવી રહ્યા છે અને સગીરે કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ ચાલી રહી છે