મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીની પંચાસર અને પીપળીયા ચોકડી પાસેથી એક-એક બાઈકની ચોરી


SHARE















મોરબીની પંચાસર અને પીપળીયા ચોકડી પાસેથી એક-એક બાઈકની ચોરી

મોરબીની પંચાસર ચોકડી પાસે અને મોરબીની પીપળીયા ચોકડી પાસેથી જુદી જુદી બે જગ્યા ઉપરથી વાહન ચોરીની ઘટનાઓ સામે આવી છે અને આ બનાવ સંદર્ભે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીના જુદા જુદા બે ગુના નોંધાતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના કેશવનગર ગામે રહેતા મૂળ બનાસકાંઠા જિલ્લાના રહેવાસી પ્રવીણભાઈ કરસનભાઈ બ્રાહ્મણ (૪૧)એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીની પંચાસર ચોકડી પાસે તેણે પોતાનું બાઈક નંબર જીજે ૮ સીએલ ૩૩૯૫ પાર્ક કરીને મૂક્યું હતું જે ૫૦૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે આવી જ રીતે મોરબીની પીપળીયા ચોકડી પાસે આવેલ ભગવતી કોમ્પ્લેક્સના પાર્કિંગમાં પટેલ પાનની સામે કાંતિનગર ગામે રહેતા બિલાલભાઈ પરબતભાઈ અન્સારી (૩૫) એ પોતાનું બાઈક નંબર જીજે ૩ એચડી ૦૦૯૨ પાર્ક કરીને મૂક્યું હતું જે ૨૦ હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

પીપળી રોડ મારામારી
મોરબીના જેતપર પીપળી રોડ ઉપર આવેલ બેલા નજીક ઇન્ડિકા સિરામિક નામના યુનિટ નજીક રહેતા સુજીત કિશોરભાઈ શો (ઉંમર ૩૦) નામના યુવાનને સોમનાથ પેટ્રોલ પંપ પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.

બાઈક સ્લીપ થતા ઇજા
મોરબીના વજેપરા વિસ્તારમાં શેરી નંબર-૧૭ માં રહેતા દિવ્યેશ ગોપાલભાઈ નામના ૩૭ વર્ષના યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.તે ઘર નજીકથી બાઈક લઈને પસાર થતો હતો તે સમયે ગત તા.૯ ના રોજ રાત્રિના ૧૨:૩૦ વાગ્યાના અરસામાં ઘર પાસે તેનું બાઈક સ્લીપ થઈ ગયુ હતુ.આ બનાવમાં ઇજાગ્રસ્ત થતા તેને ખાનગી હોસ્પિટલએ સારવાર માટે ખસેડાયો હોય જેથી સીટી એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા નોંધ કરી તપાસ કરાઈ હતી.






Latest News