સત્યાર્થ પ્રકાશ અને સત્યના પ્રયોગો માનવજાતને પ્રેરણા આપતા રહેશે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
મોરબીની પીપળીયા ચોકડી નજીક ટ્રેન હડફેટે આઠ ગાયના મોત: બે ને ઇજા
SHARE
મોરબીની પીપળીયા ચોકડી નજીક ટ્રેન હડફેટે આઠ ગાયના મોત: બે ને ઇજા
મોરબીથી નવલખી તરફ જતી રેલ્વે લાઇન ઉપર પીપળીયા ચોકડી પાસે રેલ્વે ટ્રેક ઉપર દસ જેટલી ગાય આવી ગઈ હતી અને ટ્રેનની હડફેટે ચડી ગઈ હતી જે બનાવમાં આઠ જેટલી ગાયના મોત નીપજયાં હતા અને બે ગાયને ઇજા થયેલ હોવાની માહિતી મળી રહી છે અને ઇજા પામેલ ગાયને મોરબીમાં આવેલ યદુનંદન ગૌશાળા ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ છે
મોરબીની પીપળીયા ચોકડી પાસેરી પસાર થતી રેલ્વે લાઇન ઉપર ગઇકાલે સાંજના સમયે ફાટક પાસે દસ જેટલી ગાય રેલ્વે ટ્રેક ઉપર આવી ગયેલ હતી અને ત્યારે ત્યાથી માલગાડી પસાર થઈ રહી હતી જેથી કરીને રેલ્વે ટ્રેક ઉપર આવી ગયેલ ગાય ટ્રેન હડફેટે ચડી ગયેલ હતી જેથી કરીને ઇજાઓ થવાના લીધે આઠ જેટલી ગાયના મોત નીપજયાં છે અને બે ગાયને ઇજા થયેલ હોવાથી તેને સેવાભાવી યુવાનોએ સારવાર માટે મોરબીમાં આવેલ યદુનંદન ગૌશાળામાં ખસેડી હતી અને જે ગાયના ટ્રેન હડફેટે ચડી જવાથી મોત નિપજ્યાં હતા તેની અંતિમવિધિ સેવાભાવી યુવાનોએ જેસીબીની મદદથી ખાડા ખોદીને કરી હતી









