મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ઘુંટુ નજીકથી મળેલ અજાણ્યા યુવાનની લાશના મામલામાં મૃતકની ઓળખ આપવા પોસીસની અપીલ


SHARE













મોરબીમાં ઘુંટુ નજીકથી મળેલ અજાણ્યા યુવાનની લાશના મામલામાં મૃતકની ઓળખ આપવા પોસીસની અપીલ


અજાણી લાશની ઓળખ અંગે જાણકારી માળે તો તાલુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી જણાવ્યા મુજબ એક અજાણ્યા આશરે ૩૦ થી ૩૫ વર્ષના યુવાનની લાશ ગત તા.૯-૨ ના બપોર ના ૧૨:૨૫ વાગ્યાના અરસામાં મોરબી તાલુકાના ઘુંટું ગામની સીમમાં સ્કવેર સિરામીક કારખાનામાં આવેલ કુવાના પાણીમાંથી કોહવાયેલી તરતી હાલતમાં મળી આવેલ હતી. જે મરણ જનાર યુવાનની લાશનું ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવેલ હતું.

આ અજાણ્યા ૩૦ થી ૩૫ વર્ષીય મૃતકના ઓળખ થયેલ નથી.મૃતકના જમણા હાથના કાંડામાં ધાતુનુ કડુ તેમજ લાલ દોરો બાંધેલ છે તેમજ ડાબા પગમા કાળો દોરો બાંધેલ છે અને કાળા કલરનુ પેન્ટ પહેરલ છે. મરણજનાર યુવાનની લાશનુ પોસ્ટ મોર્ટમ કરીને ઓળખ મેટે લાશને હાલમાં રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે કોલ્ડસ્ટોરેજમાં રાખવામાં આવેલ છે.આ અંગે કોઈને જાણકારી મળે તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો અથવા પોલીસ હેડ કોન્સ્ટેબલ જે.એમ. જાડેજાનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

યુવાનનું મોત

મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવારમાં રહેલ યુવાનનું મોત નિપજયુ હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં રહેલા રમણભાઈ ભેરાભાઈ પરમાર (ઉંમર ૪૦) મૂળ રહે.ધાણીઘટાવ તાલુકો ઘટાવ જિલ્લો ડુંગરપુર રાજસ્થાન વાળો મોરબીની સરકારી હોસ્પિટલે સારવારમાં હતો અને ગચ તા.૫ મી ફેબ્રુઆરીના તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.હોસ્પિટલ ખાતેથી આ સંદર્ભે યાદી આવતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા બનાવ અંગે નોંધ કરી આગળની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

મહિલા સારવારમાં

મોરબીના ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા રેખાબેન અજીતભાઈ સીપરીયા નામની ૨૫ વર્ષીય મહિલા તેના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઘઉંમાં નાખવાનો પાવડર ખાઈ ગયા હતા જેથી કરીને તેઓને મોરબીની ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યા હતા.ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ આ સંદર્ભે એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરાઈ હતી જેને પગલે સીટી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી જોકે આ બનાવ ટંકારા પોલીસ મથકની હદમાં આવતો હોય ત્યાં આગળની તપાસ અર્થે જાણ કરી હતી






Latest News