મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો
Breaking news
Morbi Today

વાંકાનેરના કલાવડી પાસે ખેતરમાં માલઢોર ચરાવવાની ના કહેતા આધેડ ઉપર હુમલો


SHARE













વાંકાનેરના કલાવડી પાસે ખેતરમાં માલઢોર ચરાવવાની ના કહેતા આધેડ ઉપર હુમલો

વાંકાનેર તાલુકાના કલાવડી ના બોર્ડ નજીક ખેતરમાં માલ ઢોર ચરાવવાની આધેડે ના પાડતા તે સારું નહીં લાગતા એક શખ્સ દ્વારા લાકડી વડે આધેડને માર મારવામાં આવ્યો હતો અને જાનથી  મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલા આધેડે સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે તેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે રહેતા અબ્દુલરહીમ અહમદભાઈ શેરસીયા જાતે મોમીન (૫૧)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કૈલાશ લીલાભાઈ સરૈયા રહે. ખીજડીયા તાલુકો વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે કાલાવડીનું બોર્ડ નૂર ઇન્ડસ્ટ્રીઝ પાસે ફરિયાદીએ આરોપીને પોતાના માલ ઢોર ખેતરમાં ચરાવવાની ના પાડી હતી જે તેને સારું નહીં લાગતા તેણે લાકડી વડે હુમલો કરીને આધેડને માર માર્યો હતો અને હાથમાં ફ્રેકચર કરીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News