મોરબીમાં ઘુંટુ નજીકથી મળેલ અજાણ્યા યુવાનની લાશના મામલામાં મૃતકની ઓળખ આપવા પોસીસની અપીલ
વાંકાનેરના કલાવડી પાસે ખેતરમાં માલઢોર ચરાવવાની ના કહેતા આધેડ ઉપર હુમલો
SHARE
વાંકાનેરના કલાવડી પાસે ખેતરમાં માલઢોર ચરાવવાની ના કહેતા આધેડ ઉપર હુમલો
વાંકાનેર તાલુકાના કલાવડી ના બોર્ડ નજીક ખેતરમાં માલ ઢોર ચરાવવાની આધેડે ના પાડતા તે સારું નહીં લાગતા એક શખ્સ દ્વારા લાકડી વડે આધેડને માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલા આધેડે સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે તેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે રહેતા અબ્દુલરહીમ અહમદભાઈ શેરસીયા જાતે મોમીન (૫૧)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કૈલાશ લીલાભાઈ સરૈયા રહે. ખીજડીયા તાલુકો વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે કાલાવડીનું બોર્ડ નૂર ઇન્ડસ્ટ્રીઝ પાસે ફરિયાદીએ આરોપીને પોતાના માલ ઢોર ખેતરમાં ચરાવવાની ના પાડી હતી જે તેને સારું નહીં લાગતા તેણે લાકડી વડે હુમલો કરીને આધેડને માર માર્યો હતો અને હાથમાં ફ્રેકચર કરીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે









