મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર ગામે પેટ્રોલ પંપે ઊભી રાખવામા આવેલ કારમાં અચાનક આગ લગતા નાસભાગ


SHARE









મોરબીના બંધુનગર ગામે પેટ્રોલ પંપે ઊભી રાખવામા આવેલ કારમાં અચાનક આગ લગતા નાસભાગ

મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે આવેલ તુલસી પેટ્રોલ પંપ ઉપર કારને ઊભી રાખવામા આવી હતી ત્યાર બાદ તે કારમાં અચાનક જ આગ લાગી હતી જેથી કરીને મારુતિ કંપનીની બ્રેઝા કારમાં નુકશાની થયેલ હોવાની હાલમાં પેટ્રોલ પંપના માલિકે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે. 

જાણવા મળતી માહિતી મુજબ મોરબીની ત્રાજપર ચોકડી પાસે રહેતા વિનોદભાઇ નાથાભાઇ ડાભી (૪૭)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કારમાં નુકશાનીની જાણ કરી છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે તેઓનો તુલસી પેટ્રોલ પંપ આવેલ છે જેના મેદાનમાં તેઓએ મારુતિ કંપનીની બ્રેઝા કાર સીએનજી નંબર ૩૬ એટી ૪૦૮૪ પાર્ક કરીને ઉભી રાખી હતી દરમિયાન કોઈ કારણોસર તે કારમાં આગ લાગી હતી જેથી કરીને આગ લાગવાના કારણે કારમાં નુકસાની થયેલ છે તે પ્રકારની વિનોદભાઈ ડાભી દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે. 

વધુમાં તેમણે જણાવ્યું છે કે ગત તા. ૮/૨/૨૪ ના રોજ સાંજે ૪:૩૦ વાગ્યાના અરસામાં આ ઘટના તેઓના પેટ્રોલ પંપે બની હતી ત્યાર પહેલાં તેમના મકનસર ગામે આવેલ ગોકુલનગરમાં રહેતા તેના ડ્રાઇવર અજયભાઈ રમેશભાઈ સિરોહીયા દવાખાનાના કામે ગયા હતા જેથી કરીને વિનોદભાઇએ તેને પોતાની ગાડી આપી હતી અને ત્યાંથી અજયભાઇ પરત આવી રહ્યા હતા ત્યારે વઘાસીયા ટોલનાકાથી પહેલા બે કિલોમીટર પાસે ઢુવા નજીક સીટીઆર્ટ શોરૂમ પાસે અજાણી રીક્ષા પાછળના ભાગે કારમાં અથડાઈ હતી અને ત્યારબાદ અજયભાઈ તે કારને લઈને તુલસી પેટ્રોલ પંપ ઉપર આવ્યા હતા અને ત્યાં તેઓએ પેટ્રોલ પંપ પાસે ગાડીને ઉભી રાખી હતી દરમિયાન અચાનક કારના આગળના ભાગમાં આગ લાગી હતી જેથી કરીને કારમાં નુકસાની થયેલ હોવાની પેટ્રોલ પંપના સંચાલકે તાલુકા પોલીસને જાણ કરેલ છે અને તેના સીસીટીવી કેમેરાના વિડીયો પણ છે.






Latest News