મોરબીમાં અનેક ગુનામાં સંડોવાયેલ બી.કે.બોરીચાનું સરઘસ કાઢતી પોલીસ, ઘરમાંથી મળી આવેલા ડોક્યુમેન્ટ બાબતે ઊંડાણપૂર્વની તપાસ ચાલુ: DYSP મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા મહોત્સવ અંતર્ગત કવિસંમેલન યોજાયું વાંકાનેરમાં બહેન રિસામણે બેઠેલ હોય સમાધાન માટે ગયેલ યુવાનને વેવાઈ-વેવાણે મારમાર્યો ટંકારા નજીક રિક્ષા રેલિંગ સાથે અથડાઈને પલટી મારી જતાં બે સગાભાઈઓને ઇજા: રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 15 પાડા ભરેલી બોલેરો ગૌરક્ષકોએ પકડી: પાયલોટિંગ સાથે અબોલજીવને કતલખાને લઈ જતાં હોવાનું ખૂલ્યું માળીયા (મી)-હળવદમાં દારૂની 3 રેડ: 31 બોટલ દારૂ-39 બિયરના ટીન કબ્જે વાંકાનેરના માટેલ રોડે કારખાનાના કવાર્ટરમાં રહેતા યુવાને બીમાર પત્નીની સારવારના ટેન્શનમાં કર્યો આપઘાત મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો એક સાગરીત પકડાયોએલ 3 ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર ગામે પેટ્રોલ પંપે ઊભી રાખવામા આવેલ કારમાં અચાનક આગ લગતા નાસભાગ


SHARE













મોરબીના બંધુનગર ગામે પેટ્રોલ પંપે ઊભી રાખવામા આવેલ કારમાં અચાનક આગ લગતા નાસભાગ

મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે આવેલ તુલસી પેટ્રોલ પંપ ઉપર કારને ઊભી રાખવામા આવી હતી ત્યાર બાદ તે કારમાં અચાનક જ આગ લાગી હતી જેથી કરીને મારુતિ કંપનીની બ્રેઝા કારમાં નુકશાની થયેલ હોવાની હાલમાં પેટ્રોલ પંપના માલિકે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે. 

જાણવા મળતી માહિતી મુજબ મોરબીની ત્રાજપર ચોકડી પાસે રહેતા વિનોદભાઇ નાથાભાઇ ડાભી (૪૭)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કારમાં નુકશાનીની જાણ કરી છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે તેઓનો તુલસી પેટ્રોલ પંપ આવેલ છે જેના મેદાનમાં તેઓએ મારુતિ કંપનીની બ્રેઝા કાર સીએનજી નંબર ૩૬ એટી ૪૦૮૪ પાર્ક કરીને ઉભી રાખી હતી દરમિયાન કોઈ કારણોસર તે કારમાં આગ લાગી હતી જેથી કરીને આગ લાગવાના કારણે કારમાં નુકસાની થયેલ છે તે પ્રકારની વિનોદભાઈ ડાભી દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે. 

વધુમાં તેમણે જણાવ્યું છે કે ગત તા. ૮/૨/૨૪ ના રોજ સાંજે ૪:૩૦ વાગ્યાના અરસામાં આ ઘટના તેઓના પેટ્રોલ પંપે બની હતી ત્યાર પહેલાં તેમના મકનસર ગામે આવેલ ગોકુલનગરમાં રહેતા તેના ડ્રાઇવર અજયભાઈ રમેશભાઈ સિરોહીયા દવાખાનાના કામે ગયા હતા જેથી કરીને વિનોદભાઇએ તેને પોતાની ગાડી આપી હતી અને ત્યાંથી અજયભાઇ પરત આવી રહ્યા હતા ત્યારે વઘાસીયા ટોલનાકાથી પહેલા બે કિલોમીટર પાસે ઢુવા નજીક સીટીઆર્ટ શોરૂમ પાસે અજાણી રીક્ષા પાછળના ભાગે કારમાં અથડાઈ હતી અને ત્યારબાદ અજયભાઈ તે કારને લઈને તુલસી પેટ્રોલ પંપ ઉપર આવ્યા હતા અને ત્યાં તેઓએ પેટ્રોલ પંપ પાસે ગાડીને ઉભી રાખી હતી દરમિયાન અચાનક કારના આગળના ભાગમાં આગ લાગી હતી જેથી કરીને કારમાં નુકસાની થયેલ હોવાની પેટ્રોલ પંપના સંચાલકે તાલુકા પોલીસને જાણ કરેલ છે અને તેના સીસીટીવી કેમેરાના વિડીયો પણ છે.








Latest News