મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્નમાં ૪૨ દીકરોએ પ્રભુતામાં ડગ માંડ્યા
SHARE
મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્નમાં ૪૨ દીકરોએ પ્રભુતામાં ડગ માંડ્યા
૧૪ ફેબ્રુઆરીએ ઠેરઠેર વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન મોરબીના નાની વાવડી ગામે કરવામાં આવ્યું હતું જેમાં ૪૨ દીકરોના લગ્ન કરાવવામાં આવ્યા હતા ત્યારે સાંસદ મોહનભાઇ કુંડારિયા, મહંત દમજી ભગત, મહામંડલેશ્વર શિવરામદાસજી, પાટીદાર સમાજના આગેવાન જયંતીભાઈ પટેલ, વિનુભાઇ રૂપાલા, જયંતિભાઈ પડસુંબિયા, ડી.એ. રંગપરિયા, કિશોરભાઇ ચિખલિયા, અનિલભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, વર્ષ ૨૦૦૧ માં ભૂકંપ આવ્યો હતો ત્યાર પછીના વર્ષથી પાટીદાર સમાજ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે અને પાટીદાર સમાજના દાતાઓના સહયોગથી લગ્નનો ભવ્ય મંડપ અને જમણવાર સાથે ભવ્ય લગ્નનું આયોજન કરવામાં આવે છે આ ઉમિયા સમૂહલગ્ન સમિતિ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૬૯૪ દીકરીના લગ્ન કરાવવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં ૩૫૦૦ વૃક્ષો વાવી ગામોમાં હરિયાળી ક્રાંતિ લાવવા માટેનો પ્રયાસ પણ કરવામાં આવેલ છે









