મોરબીથી બરેલીની ટ્રેન શરૂ કરવા શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની રજૂઆત
મોરબીની ભારતી વિધાલય શાળામાં કરાઇ વસંતપંચમીની ઉજવણી કરાઇ: શહીદોને આપી શ્રધ્ધાંજલિ અપાઈ
SHARE
મોરબીની ભારતી વિધાલય શાળામાં કરાઇ વસંતપંચમીની ઉજવણી કરાઇ: શહીદોને આપી શ્રધ્ધાંજલિ અપાઈ
મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલી ભારતી વિધાલય શાળામાં વસંત પંચમી ઉજવાઇ હતી અને વીર શહીદોને શ્રદ્ધાંજલી આપવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે શાળાની વિધાર્થીની ઝાલા પ્રાચીબા પૃથ્વીરાજસિંહ એ સાક્ષાત હંસવાહિની માં સરસ્વતીજીનું પવિત્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને વિધાર્થીઓને આશીર્વાદ આપેલ હતા
આ કાર્યક્ર્મમાંમાં સરસ્વતીજીની પ્રાર્થના વિધાર્થીઓ દ્વારા ગાઇને કરવામાં આવેલ તેમજ માં શારદાની સ્તુતિ પર ડાન્સની કૃતિ રજૂ કરાઇ હતી અને દરેક શિક્ષક અને વિધાર્થીએ વિધાની દેવીમાં સરસ્વતીનું પૂજન કરેલ તેમજ વિધારૂપી તેમના પુસ્તકનું પણ પૂજન કરેલ હતું સાથે પુલવામાં અટેક માં શહિદ થયેલા વીર સૈનિકોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી તેમજ દેશભક્તિ ગીતો પણ વિધાર્થીઓએ રજૂ કરેલ હતા આ કાર્યક્રમના અંતમાં શાળાના પ્રમુખ હિતેશભાઇ મહેતાએ દરેક વિધાર્થીઓને વસંત પંચમીનું શું મહત્વ છે ? તેના વિશે માહિતી આપેલી સાથે દરેક વિધાર્થીઓને બૉલપેન અને પુસ્તક આપી વિધાનું દાન કરીને તમામ વિધાર્થીને આશીર્વાદ આપ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્ટાફે જહેમત ઉઠાવી હતી તેવું શાળા સંચાલક કૌશલભાઈ મહેતાએ જણાવ્યુ છે









