મોરબીની ભારતી વિધાલય શાળામાં કરાઇ વસંતપંચમીની ઉજવણી કરાઇ: શહીદોને આપી શ્રધ્ધાંજલિ અપાઈ
ટંકારા ખાતે મહર્ષિ દયાનંદજીની જન્મજયંતિની ઉજવણી સમયે આરોગ્ય કર્મચારીઓની અવિરત સેવા
SHARE
ટંકારા ખાતે મહર્ષિ દયાનંદજીની જન્મજયંતિની ઉજવણી સમયે આરોગ્ય કર્મચારીઓની અવિરત સેવા
ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની જન્મજયંતિ ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ત્રણ દિવસ સુધી હજારો લોકો ત્યાં આવ્યા હતા ત્યારે ટંકારા આવેલા તમામ લોકોને આરોગ્ય સેવાઓ સારી રીતે મળી રહે તે માટે આરોગ્ય અધિકારી અને કર્મચારીઑ દ્વારા વ્યવસ્થા ઊભી કરી હતી આ સેવાઓ માટે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કવિતા જે. દવે દ્વારા સૂચના અને માર્ગદર્શન આપેલ અને ડૉ ડી.બી મહેતા, ડૉ.સંજય શાહ, ડૉ. ડી.વી બાવરવા, ડૉ.હાર્દિક રંગપરિયા, ડૉ.વિપુલ કારોલીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેકનામ સાવડી નેસડા (ખા) લજાઈના અધિકારી કર્મચારીઓએ સેવા આપેલ હતી તેમજ પ્રચાર પ્રસાર ની કામગીરી ઇન્ચાર્જ ડી.એન. સંઘાણી દ્વારા કરવામાં આવેલ હતી આ કાર્યક્રમ દરમ્યાન કુલ ૧૫૩૦ લોકોને આરોગ્યની વિવિધ સેવાઓ આપવામાં આવેલ હતી આ આરોગ્ય સેવાઓ માટે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.ડી.જી બાવરવા, તાલુકા હેલ્થ સુપરવાઇઝર પટેલ હિતેશ કે. તથા તાલુકા હેલ્થ વીઝીટર ભાવનાબેન પટેલ દ્વારા સારી વ્યવસ્થા પૂરી પાડેલ હતી









