મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના હરીપર કેરાળા ગામે વાડીમાં રોજડા આવવાની બાબતે મારામારી: ત્રણ વ્યક્તિને ઇજા થતાં સારવારમાં


SHARE







મોરબીના હરીપર કેરાળા ગામે વાડીમાં રોજડા આવવાની બાબતે મારામારી: ત્રણ વ્યક્તિને ઇજા થતાં સારવારમાં

મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામે વાડીમાં રોજડા કાઢતા બાજુની વાડીમાં આવ્યા છે તેવું સમજીને મારા મરીનો બનાવ બનેલ હતો જેથી ત્રણ વ્યક્તિઓને ઇજાઓ થયેલ હતી અને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામે રહેતા પપ્પુ કાળુભાઈ નીનામા (૨૨) અને ટેટુભાઈ વસુભાઈ અજનાર (૫૦) ને ભરતભાઈની વાડીએ હતા ત્યારે ત્યાં મારામારીના બનાવવામાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ જે.બી. પરમાર ચલાવી રહ્યા છે આવી જ રીતે મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામે અશ્વિનભાઈની વાડીએ મારામારીના બનાવમાં દુદાભાઈ બાબુભાઈ રાજપૂત (૩૫) નામના યુવાનને ઇજા હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી તરીકે વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી. પરમાર ચલાવી રહ્યા છે ત્યારે તેઓની સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ છેકે, બંને પક્ષના લોકો બાજુ બાજુની વાડીમાં રહે છે અન વાદીમાંથી રોજડાને કાઢવામાં આવતા બાજુની વાડીમાં આવ્યા છે તેવું સમજીને આ મારા મારીનો બનાવ બનેલ હતો

ઝેરી દવા પીધી

મોરબી તાલુકાના જેતપર ગામે જીઇબી પાસે રહેતા સંજયભાઈ ગોપાલભાઈ હમીરપરા (૩૫) નામના યુવાને કોઈ કારણોસર પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે જેતપરના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની તપાસ વિજયભાઈ ચલાવી રહ્યા છે

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના નાનીવાવડી ગામે દશામાના મંદિર પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં નાની વાવડી ગામે રહેતા રાજેશભાઈ વેલજીભાઈ સોલંકી (૩૦) નામના યુવાનને ઇજા થયેલ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુ તપાસ એસ.વી. સોલંકી ચલાવી રહ્યા છે






Latest News