મોરબીના ડો.વિરલભાઈ લહેરૂ ડોક્ટર બનવા છતાં પણ પોતાની પ્રાથમિક શાળાને નથી ભુલ્યા
18-02-2024 06:24 PM
SHARE
JOIN OUR GROUP
મોરબીના ડો.વિરલભાઈ લહેરૂ ડોક્ટર બનવા છતાં પણ પોતાની પ્રાથમિક શાળાને નથી ભુલ્યા
તત્કાલીન સ્વ.આચાર્યાં અને શાળાનું ઋણ ચુકવવા, શાળાના ભૂલકાઓ માટે યોજયો નીઃશુલ્ક કેમ્પ
આજે સમાજમાં અનેક અનેક ગરિમાપૂર્ણ પદ સુધી વિદ્યાર્થીઓને પહોંચાડનાર અને રાષ્ટ્રીયતાના રંગે રંગાયેલી મોરબીની જાણીતી રાષ્ટ્રીય પ્રાથમીક શાળાના પૂર્વ વિદ્યાર્થી અને મોરબીના જાણીતા લહેરૂ ડાયેગનોસ્ટીકના સંચાલક ડો.વિરલભાઈ લહેરૂએ પોતાની પ્રાથમિક શાળાના તત્કાલીન આચાર્યા વાત્સલ્યમૂર્તિ સમાન વિદ્યાબેન મહેતા (મોટા બેન) ની ૯૫ મી જન્મતિથી નિમિત્તે ગુરૂ પ્રત્યેના ઋણને ચૂકવવા પોતે જે સ્કુલમાં ભણેલા તે રાષ્ટ્રીય શાળાના ભૂલકાઓ માટે નિઃશુલ્ક કેમ્પ યોજયો હતો અને શાળાના તમામ વિદ્યાર્થીઓનું બ્લડ ગ્રુપ તેમજ હિમોગ્લોબીન ટેસ્ટ કરી આપીને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી અદા કર્યાનો ભાવ વ્યક્ત કર્યો હતો.આ તકે તેઓ રાષ્ટ્રીય શાળાના સ્થાપક, સંચાલક વિદ્યા બહેનનું ઋણ ચૂકવવા બહુ વામણા પડે તેમ જણાવતા સાથો સાથ ઉમેર્યું હતુ કે, આંશિક વિદ્યાઋણ સ્મરણ કાજે આજના મંગલ દિવશે કરવામાં આવેલ આ નાનકડું કાર્ય અનેક માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે