ટંકારાનાં હડમતીયા ગામે રહેતા આધેડ મોરબીમાંથી પાંચ દિવસથી ગુમ
મોરબીના ભક્તિનગર સર્કલ પાસે અકસ્માત કરીને યુવાનનું મોત નીપજવનાર કાર ચાલકની ધરપકડ
SHARE
મોરબીના ભક્તિનગર સર્કલ પાસે અકસ્માત કરીને યુવાનનું મોત નીપજવનાર કાર ચાલકની ધરપકડ
મોરબીમાં સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ ભક્તિનગર સર્કલ પાસે કોઈ અજાણી કારના ચાલકે ઠોકર મારતા ઈજા પામેલ યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને મૃતક યુવાનના ભાઈની ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
મૂળ દાહોદ જિલ્લાના વડવા ગામના રહેવાસી અને ટંકારા તાલુકાના વીરપર ગામ પાસે આવેલ બાલાજી પેકિંગ નામના કારખાનામાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો પ્રકાશભાઈ ભાવસિંગ રાઠોડ (૨૫) નામનો યુવાન થોડા દિવસો પહેલા મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ ભક્તિનગર સર્કલ પાસે વિરાટ પાવભાજી નજીક ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો જેથી કરીને તે યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ હતો અને ત્યાં તે યુવાનનું મોત નીપજયું હતું જેથી મૃતક યુવાનના ભાઈ ધવલભાઈ ભાવસિંગ રાઠોડ (૨૮)ની ફરિયાદ લઈને અજાણી કારના ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને અકસ્માતના બનાવમાં મોરબી એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ સી.એસ. સોંદરવા તથા સ્ટાફના ભાવિનભાઈ ગઢવી દ્વારા વાહન ચાલક કિશન અશોકભાઈ ભટાસણા જાતે પટેલ (૨૩) રહે. ૬૦૧-ડ્રીમ પેલેસ લીલાલહેરની સામે નરસંગ ટેકરી મંદિર નજીક રવાપર રોડ મોરબી વાળાની ધરપકડ કરવામાં આવેલ છે.