ટંકારાનાં હડમતીયા ગામે રહેતા આધેડ મોરબીમાંથી પાંચ દિવસથી ગુમ
SHARE
ટંકારાનાં હડમતીયા ગામે રહેતા આધેડ મોરબીમાંથી પાંચ દિવસથી ગુમ
ટંકારા તાલુકાનાં હડમતીયા ગામે રહેતા અને બંધકામનું કામ કરતાં આધેડ ઘરેથી બે જોડી કપડાં લઈને નીકળી ગયા છે અને તેનો કોઈ જ્ગ્યાએથી પત્તો લાગેલ નથી જેથી કરીને તેના પરિવારજનોએ આ અંગેની ટંકારા તાલુકા પોલીસને જાણ કરી છે જેથી પોલીસ અને પરિવારના લોકોને આધેડને શોધી રહ્યા છે
જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાનાં હડમતીયા ગામે રહેતા અને બાંધકામનું કામ કરતાં રાજેશભાઈ હંસરાજભાઇ ધુમલિયા (૫૨) ગત તા. ૧૬/૨/૨૪ ના રોજ સવારે ૧૦:૪૫ વાગ્યે મોરબી બસ સ્ટેશનથી બસમાં બેસીને નીકળી ગયેલ છે અને ત્યાર પછીથી તેનો કોઈ જગ્યાએથી પત્તો લાગેલ નથી જેથી કરીને પરિવારજન દ્વારા આ અંગેની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ગુમ થયેલા આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે વધુમાં મળતી માહિતી મુજબ આધેડને ત્રણ દીકરા છે અને આર્થિકે બીજો કોઈ પ્રશ્ન ન હતો તેમ છતાં અચાનક આધેડ ગુમ થઈ ગયેલ છે જેથી તેને શોધવા માટે કવાયત કરવામાં આવી રહી છે