મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

ટંકારાનાં હડમતીયા ગામે રહેતા આધેડ મોરબીમાંથી પાંચ દિવસથી ગુમ


SHARE













ટંકારાનાં હડમતીયા ગામે રહેતા આધેડ મોરબીમાંથી પાંચ દિવસથી ગુમ

ટંકારા તાલુકાનાં હડમતીયા ગામે રહેતા અને બંધકામનું કામ કરતાં આધેડ ઘરેથી બે જોડી કપડાં લઈને નીકળી ગયા છે અને તેનો કોઈ જ્ગ્યાએથી પત્તો લાગેલ નથી જેથી કરીને તેના પરિવારજનોએ આ અંગેની ટંકારા તાલુકા પોલીસને જાણ કરી છે જેથી પોલીસ અને પરિવારના લોકોને આધેડને શોધી રહ્યા છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાનાં હડમતીયા ગામે રહેતા અને બાંધકામનું કામ કરતાં રાજેશભાઈ હંસરાજભાઇ ધુમલિયા (૫૨) ગત તા. ૧૬/૨/૨૪ ના રોજ સવારે ૧૦:૪૫ વાગ્યે મોરબી  બસ સ્ટેશનથી બસમાં બેસીને નીકળી ગયેલ છે અને ત્યાર પછીથી તેનો કોઈ જગ્યાએથી પત્તો લાગેલ નથી જેથી કરીને પરિવારજન દ્વારા આ અંગેની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ગુમ થયેલા આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે વધુમાં મળતી માહિતી મુજબ આધેડને ત્રણ દીકરા છે અને આર્થિકે બીજો કોઈ પ્રશ્ન ન હતો તેમ છતાં અચાનક આધેડ ગુમ થઈ ગયેલ છે જેથી તેને શોધવા માટે કવાયત કરવામાં આવી રહી છે






Latest News