માળિયા-વનાળિયા પંચાયત વિસ્તારમાં પાણીની સમસ્યા ન ઉકેલતા સરપંચ અને સભ્યોની આત્મવિલોપનની ચીમકી
ટંકારાના સજનપર ગામની શાળામાં ગણિતના ઉપયોગી પુસ્તકનું વિતરણ કરાયું
SHARE
ટંકારાના સજનપર ગામની શાળામાં ગણિતના ઉપયોગી પુસ્તકનું વિતરણ કરાયું
ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં બાળકોને શ્રી સજનપર દુધ ઉત્પાદક સહકારી મંડળી લી. દ્વારા શાળાના ધો.3 થી ૫ ના ૧૫૦ બાળકોને ગણિતનું પાયાનું જ્ઞાન મળે તેવા ઉમદા હેતુથી "એકમ" પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે શ્રી સજનપર દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા ગામની પ્રાથમિક શાળામાં બાળકોને કાંઈક ને કાંઈક ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે આ તકે શ્રી સજનપર દૂધ ઉત્પાદક મંડલી લી. ના પ્રમુખ કરશનભાઇ રૈયાણી અને મંત્રી કેશુભાઈ રૈયાણીનો શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ સમગ્ર શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કરેલ છે