ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

માળિયા-વનાળિયા પંચાયત વિસ્તારમાં પાણીની સમસ્યા ન ઉકેલતા સરપંચ અને સભ્યોની આત્મવિલોપનની ચીમકી


SHARE













માળિયા-વનાળિયા પંચાયત વિસ્તારમાં પાણીની સમસ્યા ન ઉકેલતા સરપંચ અને સભ્યોની આત્મવિલોપનની ચીમકી

મોરબી નજીક આવેલ માળિયા વનાળિયા પંચાયતના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણી આવતું નથી જેથી કરીને તેની અનેક વખત રજુઆત કરી છે તો પણ પ્રશ્ન ઉકેલાયેલ નથી જેથી કરીને સરપંચ, ઉપસરપંચ અને સભ્યોએ કલેકટર કચેરી ખાતે સામુહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.

જાણવા મળતી માહિતી મુજબ માળિયા વનાળીયા ગામના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા છે તેને ઉકેલવા માટે વારંવાર રજૂઆત કરેલ છે તો પણ પાણીનો પ્રશ્ન ઉકેલતો નથી અને સરકાર દ્વારા હર ઘર નલ, હર ઘર જલ, યોજના અમલમાં મૂકવામાં આવેલ છે તો પણ લોકોને પાણી માટે હેરાન થવું પડે છે આ ગ્રામ પંચાયત વિસ્તારમાં ૭૦૦ જેટલા લોકો હાલમાં રહે છે અને ત્યાં લોકોને પાણીની પ્રાથમિક સુવિધા મળી રહી નથી. અને અધિકારીઓએ વારંવાર કરવામાં આવેલ રજૂઆતને ધ્યાને લઈને કામ કરી રહ્યા નથી જેથી કરીને આ ગામના સરપંચ, ઉપસરપંચ, ચેરમેન તેમજ પંચાયતના તમામ સભ્યોએ આગામી તા ૨૬ ને સોમવારના રોજ કલેક્ટર કચેરી ગ્રાઉન્ડમાં સવારે ૧૧ વાગ્યે સામૂહિક આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે






Latest News