મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

માળિયા-વનાળિયા પંચાયત વિસ્તારમાં પાણીની સમસ્યા ન ઉકેલતા સરપંચ અને સભ્યોની આત્મવિલોપનની ચીમકી


SHARE







માળિયા-વનાળિયા પંચાયત વિસ્તારમાં પાણીની સમસ્યા ન ઉકેલતા સરપંચ અને સભ્યોની આત્મવિલોપનની ચીમકી

મોરબી નજીક આવેલ માળિયા વનાળિયા પંચાયતના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણી આવતું નથી જેથી કરીને તેની અનેક વખત રજુઆત કરી છે તો પણ પ્રશ્ન ઉકેલાયેલ નથી જેથી કરીને સરપંચ, ઉપસરપંચ અને સભ્યોએ કલેકટર કચેરી ખાતે સામુહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.

જાણવા મળતી માહિતી મુજબ માળિયા વનાળીયા ગામના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા છે તેને ઉકેલવા માટે વારંવાર રજૂઆત કરેલ છે તો પણ પાણીનો પ્રશ્ન ઉકેલતો નથી અને સરકાર દ્વારા હર ઘર નલ, હર ઘર જલ, યોજના અમલમાં મૂકવામાં આવેલ છે તો પણ લોકોને પાણી માટે હેરાન થવું પડે છે આ ગ્રામ પંચાયત વિસ્તારમાં ૭૦૦ જેટલા લોકો હાલમાં રહે છે અને ત્યાં લોકોને પાણીની પ્રાથમિક સુવિધા મળી રહી નથી. અને અધિકારીઓએ વારંવાર કરવામાં આવેલ રજૂઆતને ધ્યાને લઈને કામ કરી રહ્યા નથી જેથી કરીને આ ગામના સરપંચ, ઉપસરપંચ, ચેરમેન તેમજ પંચાયતના તમામ સભ્યોએ આગામી તા ૨૬ ને સોમવારના રોજ કલેક્ટર કચેરી ગ્રાઉન્ડમાં સવારે ૧૧ વાગ્યે સામૂહિક આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે






Latest News