મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર ! વાંકાનેરમાં ઘરમાંથી 935 ગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ વાંકાનેરમાં મોબાઈલની દુકાનમાં ટી-20 ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ મોરબીમાં મોબાઈલથી વરલીના આંકડા લેતા એક પકડાયો, એકની શોધખોળ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા મોરબી સિરામિક ઉદ્યોગમાં ગેસની સપ્લાઈ-ભાવ મુદે ગુજરાત ગેસ કંપનીના એમડી-અધિકારીઓએ સાથે મિટિંગ યોજાઇ હળવદના માનસર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા માથું છૂંદાઈ જવાથી શ્રમિક યુવાનનું મોત વાંકાનેર નજીક ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા આઠમો સમૂહ લગ્નોત્સવ યોજાયો


SHARE













મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા આઠમો સમૂહ લગ્નોત્સવ યોજાયો

છેલ્લા સાત વર્ષથી મોરબી શહેરની અંદર વિધવા બહેનોના સંતાનોના લગ્ન કરાવતી શ્રી ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા ૨૭૫ દીકરીઓને સ્વસુરગૃહે વળાવ્યા બાદ બીજી ૧૦ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ૭૯  પ્રકારની જીવન જરૂરીયાતની વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવેલ હતી. જેમાં સોના ચાંદીથી લઈ અને કબાટ પલંગ ગાદલા રસોડાની તમામ ચીજ વસ્તુઓ આપવામાં આવેલ હતી આ ઉપરાંત આ દીકરીઓને પગભર થવા માટે ફ્રી માં સીવણ ક્લાસની વ્યવસ્થા કરી આપવામાં આવશે. અને સિલાઈ કામ શીખી લીધા બાદ સિલાઈ મશીન આપવામાં આવશે. અને ફ્રી માં બ્યુટી પાર્લરના કોર્સ  કરાવવામાં આવશે અને શીખી લીધા બાદ ફ્રી માં કીટ આપવામાં આવશે. આ સમૂહલગ્નના કાર્યક્રમમાં પ્રમુખ સ્થાને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા હાજર રહ્યા હતા તેઓએ ગંગા સ્વારૂપ સહાય સમિતિને કહેલ કે, દર મહિને બે, ચાર લગ્નો જો કરવા માગતા હો તો ઉમા ટાઉન શિપમાં જમણવાર સહિત કરી આપશે. આ પ્રસંગે ચંદ્રકાન્તભાઈ દફતરીએ નવ દંપતીને ભ્રુણ હત્યા નહીં કરીએ તેવા સપથ લેવડાવેલ હતા. અને કોઈ એક જરૂરિયત મંદ દીકરીના લગ્નમાં સહાય રૂપ થવા સમજાવેલ હતા. આ સમૂહલગ્ન શ્રી હનુમાનજી મંદિર, રણછોડનગરમાં મહંતશ્રી બાબુભાઇની દેખરેખ હેઠળ યોજવામાં આવેલ હતો. આ પ્રસંગે તમામ દાતાઓનું સન્માન કરવામાં આવેલ હતું. અને આ તકે લાયન્સ પ્રમુખ પિયુષભાઇ સાણજા, લાયન ત્રિભોવનભાઈ ફુલતરીયા, તુષાર દફતરી વિગેરે અન્ય લાયન્સ કલબોના સભ્યો હાજર રહેલ હતા. અંતમાં ગંગા સ્વારૂપ સહાય સમિતિના પ્રણેતા દેવકરણભાઈ  આદ્રોજાએ કહ્યું હતું કે, હવે સમગ્ર સમાજ માટે ચિંતનનો વિષય છે કે લગ્નો પાછળ બિન જરૂરી ખર્ચનો ઘટાડો કરે અને આવા સમૂહ લગ્નોમાં જોડાઇ અને સમાજને નવી દિશા બતાવે તે અનિવાર્ય છે






Latest News